મધ્યસ્થતા સ્વીકારી ન હતી, સ્વીકારીશું પણ નહીંઃ મોદી

File Photo
મોદી અને ટ્રમ્પે ફોન પર ૩૫ મિનિટ સુધી વાતચીત કરી-ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ ટ્રમ્પને સંભળાવી દીધું
નવી દિલ્હી, કેનેડામાં ય્૭ શિખર સંમેલન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર ૩૫ મિનિટ સુધી વાત કરી. મળતી માહિતી મુજબ આ ફોનનો આગ્રહ ટ્રમ્પ તરફથી કરાયો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃતથી વાતચીત થઈ. ઓપરેશન સિંદૂર બાદ સીઝફાયરને લઈને ચાલી રહેલી મથામણ વચ્ચે બંને નેતાઓની આ પહેલી પ્રત્યક્ષ વાતચીત હતી.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું કે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે આ દરમિયાન ક્્યારેય, કોઈ પણ સ્તરે, ન તો ભારત અમેરિકા વેપાર સમજૂતિ પર ચર્ચા થઈ કે ન તો ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની મધ્યસ્થતાનો મુદ્દો ઉઠ્યો. મળતી માહિતી મુજબ ટ્રમ્પે પીએમ મોદીને આગ્રહ કર્યો કે તેઓ કેનેડાથી પાછા ફરતી વખતે જો અમેરિકા થઈને જાય તો તેમની સાથે મુલાકાત થઈ શકે. પરંતુ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોના પગલે પીએમ મોદીએ તેમાં અસમર્થતા જતાવી.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત ય્૭ સમિટ દરમિયાન થવાની હતી પરંતુ ટ્રમ્પે જલદી અમેરિકા પાછા ફરવું પડ્યું. જેના કારણે આ મુલાકાત થઈ શકી નહી. ત્યારબાદ ટ્રમ્પના આગ્રહ પર આજે બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ. આ વાતચીત લગભગ ૩૫ મિનિટ ચાલી. ૨૨ એપ્રિલના રોજ પહેલગામ આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોન પર પ્રધાનમંત્રી મોદીને શોક સંવેદના વ્યક્ત કર્યો હતો અને આતંક વિરુદ્ધ સમર્થન પણ જતાવ્યું હતું. ત્યારબાદથી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી.
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ જોડે ઓપરેશન સિંદૂર પર વિસ્તૃત વાત કરી. પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે ૨૨ એપ્રિલ બાદ ભારતે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પોતાનો દ્રઢ સંકલ્પ સમગ્ર દુનિયાને દેખાડી દીધો હતો. પીએમ મોદીએ કહ્યું કે ૬-૭ મેની રાતે ભારતે પાકિસ્તાન ને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ફક્ત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.
વિક્રમ મિસરીએ જણાવ્યું કે ભારતે એ પણ સ્પષ્ટ કરી દીધુ હતું કે પાકિસ્તાનની ગોળીનો જવાબ ભારત ગોળાથી આપશે. ૯ મેની રાતના રોજ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પીએમ મોદીને ફોન કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ વેન્સે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત પર મોટો હુમલો કરી શકે છે. પીએમ મોદીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો આમ થશે તો ભારત પાકિસ્તાનને તેના કરતા પણ મોટો જવાબ આપશે. ૯-૧૦ની રાતે પાકિસ્તાનના હુમલાનો ભારે ખુબ જ સશક્ત જવાબ આપ્યો અને પાકિસ્તાનની સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું.
તેમણે જણાવ્યું કે ભારતે પાકિસ્તાનના મિલેટ્રી એરબેસને નિÂષ્ક્રય કર્યા હતા. ભારતના જડબાતોડ જવાબના કારણે પાકિસ્તાને ભારતને સૈન્ય કાર્યવાહી રોકવાનો આગ્રહ કરવો પડ્યો. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટ રીતે કહ્યું કે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ક્્યારેય, કોઈ પણ સ્તરે, ભારત અમેરિકા ટ્રેડ ડીલ કે અમેરિકા તરફથી ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા જેવા વિષયો પર વાત થઈ નથી. સૈન્ય કાર્યવાહી રોકવાની સીધી વાત ભારત અને પાકિસ્તાન વચ્ચે, બંને સેનાઓના વર્તમાન ચેનલોના માધ્યમથી થઈ હતી અને પાકિસ્તાનના જ આગ્રહ પર થઈ હતી.
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારતે ક્્યારેય કોઈ મધ્યસ્થતા પહેલા સ્વીકારી નથી, નથી સ્વીકારતું કે ભવિષ્યમાં પણ સ્વીકારશે. આ વિષય પર ભારતમાં પૂર્ણ રીતે રાજકીય એકમત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદી તરફથી વિસ્તૃતમાં જણાવેલી વાતોને સમજીઅને આતંકવાદી વિરુદ્ધ ભારતની લડાઈ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત હવે આતંકવાદને પ્રોક્સી વોર નહીં પરંતુ યુદ્ધનું સ્વરૂપ જ સમજે છે અને ભારતનું ઓપેરશન સિંદૂર હજુ પણ ચાલુ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને પૂછ્યું કે શું તેઓ કેનેડાથી પાછા ફરતી વખતે અમેરિકા રોકાઈ શકે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોના કારણે પીએમ મોદીએ પોતાની અસમર્થતા જતાવી. બંને નેતાઓએ નક્કી કર્યું કે તેઓ ભવિષ્યમાં મળવાનો પ્રયાસ કરશે. ઈન્ડો પેસેફિક ક્ષેત્ર સંબંધિત બંને નેતાઓએ પોતાના પરિપેક્ષ રજૂ શેર કર્યા. આ ક્ષેત્રમાં ક્વાડની મહત્વની ભૂમિકા પ્રત્યે સમર્થન જતાવ્યું. ક્વાડની આગામી બેઠક માટે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભારત પ્રવાસ માટે આમંત્રણ આપ્યું. જે ટ્રમ્પે સ્વીકારતા કહ્યું કે તેઓ ભારત આવવા માટે ઉત્સુક છે.