આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલેઃ PM મોદી

(એજન્સી) કેનાનાસ્કીસ , ય્-૭ શિખર સંમેલનના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દા પર દુનિયાના પ્રમુખ નેતાઓ સાથે વાતચીત કરી. કેનેડાના કનાનાÂસ્કસમાં આયોજિત ય્-૭ આઉટરીચ સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે ભારતની કડક નીતિનું પુનરાવર્તન કર્યું અને તેને વૈશ્વિક જોખમના રૂપે જોઈ એકજૂટ થઈ નિર્ણાયક કાર્યવાહીની માંગ કરી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે આપણા વિચાર અને નીતિ સ્પષ્ટ હોવી જોઈએ, જો કોઈ દેશ આતંકવાદનું સમર્થન કરે છે, તો તેને તેની કિંમત ચૂકવવી પડશે.
Photo : PM @narendramodi held talks with President Mr. Zoran Milanović in Zagreb, Croatia. The leaders reaffirmed their resolve to deepen India-Croatia relations in sectors such as trade, culture and more.
આંતરરાષ્ટ્રીય સમુદાયની કાર્યવાહીમાં બેવડા માપદંડ ન હોવા જોઈએ. એકબાજુ અમે પોતાની પસંદ મુજબ વિવિધ પ્રકારના પ્રતિબંધ જલદી લગાવી દઇએ છીએ તો બીજીબાજુ જે દેશ જાહેરમાં આતંકવાદનું સમર્થન કરે છે, તેમને ઈનામ આપવામાં આવે છે. આ બેવડા માપદંડ બંધ થવા જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક્સ પર જાણકારી આપતા કહ્યું કે, વડાપ્રધાને આતંકવાદ સામે ભારતના વલણને પુનરાવર્તિત કરી પહલગામમાં થયેલા જઘન્ય આતંકી હુમલાની નિંદા કરવા માટે નેતાઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે આતંકવાદને પ્રોત્સાહન અને સમર્થન આપનારની સામે કડક વૈશ્વિક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્્યો.
નોંધનીય છે કે, ૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૬ લોકોના મોત થયા હતા. જેના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાન તેમજ ઁર્દ્ભમાં હાજર આતંકી ઠેકાણાને નાબૂદ કર્યા.