અલવરમાં પુત્રની સામે પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી

પપ્પાને મારી નાંખ્યા, પગ મરોડી દીધા ને ઓશિકાથી મોં દબાવી દીધુઃ પુત્ર
પોતાના પતિ માનસિંહ જાટવનું મોત તબિયત બગડી હોવાનું રટણ પત્ની અનીતાએ વારંવાર કર્યું હતું
અલવર,રાજસ્થાનના અલવર જિલ્લાના ખેડલી ક્ષેત્રમાં એક ક્રૂર ઘટના બની છે. અહીં પોતાના પુત્રની સામે જ પત્ની(અનીતા)એ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી હતી. આ ઘટનાને લઈને ૯ વર્ષીય પુત્રે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોતાના પતિ માનસિંહ જાટવનું મોત તબિયત બગડી હોવાનું રટણ પત્ની અનીતા કરી રહી હતી.
જોકે, પરંતુ ૪૮ કલાક પછી નવ વર્ષીય પુત્રે પોલીસને જણાવ્યું કે તેની માતા અનીતાએ જાણી જોઈને એ રાત્રે ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. રાત્રે લગભગ ૧૨ કલાકે ચાર લોકો એક વ્યક્તિની સાથે ઘરમાં ઘુસ્યા, એ એક વ્યક્તિને બાળક ‘કાશી અંકલ’ તરીકે જાણતો હતો. પાછળથી અલવર પોલીસે તપાસ કરી તો કાશી અંકલનું મૂળ નામ કાશીરામ પ્રજાપત, જે અનીતાનો પ્રેમી છે. બાળકે પોલીસને જણાવ્યું કે, મેં દરવાજાનો અવાજ સાંભળ્યો અને જોયું તો મમ્મી દરવાજો ખોલી રહી હતી.
કાશી અંકલ અને ચાર લોકો ઘરની બહાર ઊભા હતા. એ તમામ અમારા રૂમમાં આવ્યા. મેં જોયું તો મમ્મી પલંગ સામે ઊભી હતી. એ લોકોએ પપ્પાને માર્યા, પગ મરોડી દીધા અને ઓશિંકાથી મોં દબાવી દીધું.કાશી અંકલે તેમનું મોં દબાવ્યું હતું. હું ચૂપચાપ જોતો રહ્યો. જ્યારે મેં પપ્પાની તરફ હાથ લંબાવ્યો તો કાશી અંકલે મને ખોળામાં બેસાડ્યો અને ધમકાવ્યો હતો. હું ડરી ગયો એટલે ચૂપ થઈ ગયો. અનીતા જનરલ સ્ટોર ચલાવતી હતી, જ્યારે કાશીરામ કચોરી વેચતો હતો. બંને વચ્ચે પ્રેમ થયો અને છેવટે વીરુ ઉર્ફે માનસિંહ જાટવની હત્યાની યોજના બનાવી હતી.ss1