પરેશ રાવલ હેરાફેરી-૩માં કામ કરશે ??

અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સે અભિનેતાને અયોગ્ય રીતે બહાર નીકળવા બદલ કાનૂની નોટિસ મોકલી હતી
મને ખાતરી છે કે બધું સારું થઈ જશેઃ અક્ષય કુમાર
મુંબઈ,અક્ષય કુમારે તાજેતરમાં ‘હેરા ફેરી ૩’ માં પરેશ રાવલના વાપસી વિશે સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને ખાતરી છે કે બધું જલ્દી ઠીક થઈ જશે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સ્ટારર હેરા ફેરી બોલિવૂડની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોમાંની એક છે. તેનો ભાગ ૩ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ થોડા દિવસો પહેલા બાબુરાવનું પાત્ર ભજવનાર પરેશ રાવલ અચાનક પાછળ હટી ગયા. ચાહકોની સાથે ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ આ સમાચારથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. હવે આ અંગે ઘણો હોબાળો મચી ગયો છે.
દરમિયાન, અક્ષય કુમારે ફિલ્મમાં પરેશ રાવલના વાપસી વિશે સંકેત આપ્યો છે.અક્ષય કુમારે તાજેતરમાં પિંકવિલા સાથે વાત કરી હતી અને ‘હેરા ફેરી ૩’ વિશે ચર્ચા કરી હતી. પરેશ રાવલ સાથેના વિવાદ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “અત્યારે વાતચીત ચાલી રહી છે. તો કદાચ બધું સારું થઈ જશે. અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તે તમારી સામે છે.” અક્ષયના આ સંકેતથી ફરી એકવાર ચાહકોના હૃદયમાં આશા જાગી છે કે તેઓ કદાચ બાબુ ભૈયાને ફિલ્મમાં ફરીથી જોઈ શકશે.
અક્ષય કુમારે આગળ કહ્યું કે મને આશા છે કે બધું સારું થઈ જશે. મને આ વાતની પણ ખાતરી છે.” તમને જણાવી દઈએ કે પરેશ રાવલના ફિલ્મમાંથી બહાર નીકળ્યા પછી, અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સે અભિનેતાને અયોગ્ય રીતે બહાર નીકળવા બદલ કાનૂની નોટિસ મોકલી હતી. ત્યારબાદ પરેશે પણ આનો જવાબ મોકલ્યો હતો.ss1