Western Times News

Gujarati News

છૂટાછેડા બાદ અભિનેત્રીએ ભારત છોડ્યું, દીકરી સાથે દુબઈમાં જઇને વસી ગઈ

ઈન્ફ્લુએન્સર બનીને સપનાં પૂરા કરી બતાવ્યા

માલવિકા એવી અભિનેત્રીઓમાંની એક છે, જેમને બોલિવૂડમાં ઓળખ મળી નથી, પરંતુ તેણે હાર ના માની અને ઈન્ફ્લુએન્સર બની અને સપનાં પૂરા કર્યા

મુંબઈ, ‘મેરી પ્યારી બિંદુ’ ફેમ માલવિકા સિતાલાની અને અખિલ આર્યને વર્ષ ૨૦૨૦ લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ બંનેના છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. વર્ષ ૨૦૨૩માં જ અભિનેત્રી એક પુત્રીના મા બની હતી. છૂટાછેડા પછી અભિનેત્રીએ ઘણું સહન કર્યું, પરંતુ કહેવત છે ને કે, કાળી રાત પછી ચોક્કસ સવાર પડે જ છે. માલવિકાના જીવનમાં પણ આવી જ સવાર આવી ચૂકી છે.

એક્ટ્રેસમાંથી યુટ્યુબર- ઈન્ફ્લુએન્સર બનેલી માલવિકા તેની પુત્રી સાથે દુબઈ શિફ્ટ થઈ ગઈ છે. તેણે દુબઈમાં તેના સ્વપ્નના ઘરમાં વસાવી લીધું છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યાે અને માહિતી આપી કે ‘હું મારી પુત્રી સાથે દુબઈ શિફ્ટ થઈ ગઈ છું. એક સમયે મને અશક્ય લાગતું હતું, પરંતુ હવે મારી પાસે પોતાનું ઘર છે.

ઈસુએ મને રસ્તો બતાવ્યો. આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે આપણી પ્રાર્થનાની અસર છે.’આ વિશે વાત કરતા માલવિકા કહે છે કે, ‘દુબઈમાં હવે મારું પોતાનું ઘર છે. આ માટે શબ્દોથી આભાર માનવો મુશ્કેલ છે. મેં ૩૨ વર્ષની ઉંમરે આ કરી બતાવ્યું છે, જે ખરેખર દરેક માટે અશક્ય છે.નોંધનીય છે કે, માલવિકા એવી અભિનેત્રીઓમાંની એક છે, જેમને બોલિવૂડમાં ઓળખ મળી નથી, પરંતુ તેણે હાર ના માની અને ઈન્ફ્લુએન્સર બની અને સપનાં પૂરા કર્યા. માલવિકાના ચાહકો પણ તેની આ સિદ્ધિથી ખુશ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.