‘સિંઘમ અગેઇન’ની નિષ્ફળતા પછી રોહિત શેટ્ટી છાશ પણ ફૂંકીને પીવે છે

૫૦ કરોડની ફિલ્મને ફ્લોપથી બચાવી શક્યા નહીં
‘સિંઘમ અગેઇન’ ફ્લોપ થયા બાદ રોહિત શેટ્ટીએ નિર્ણય કરી લીધો હતો
હવે તે અજય દેવગણ સાથે આગામી ફિલ્મ એક્શન-આધારિત નહીં બનાવશે
મુંબઈ,રોહિત શેટ્ટી બોલિવૂડના સૌથી પ્રભાવશાળી ડિરેક્ટર પૈકીનો એક છે. એક્શન અને કોમેડી-આધારિત ફિલ્મોમાં તેની મજબૂત પકડ છે. જો કે, અજય દેવગણ સાથેની ૩૫૦ કરોડની ‘સિંઘમ અગેઇન’ના ફ્લોપ બાદ તે હવે એક્શન ફિલ્મોથી થોડો વિરામ લેવાના મૂડમાં લાગે છે. બાક્સ આૅફિસની કમાણીને જોતાં તેની ફિલ્મ હિટ કે ફ્લોપ છે તે નક્કી થાય છે. હંમેશા મોટા બજેટની ફિલ્મો માટે સૌથી મોટું કામ એ જ હોય છે કે, ફિલ્મ પાછળ થતો ખર્ચ શક્ય એટલો ઝડપથી પરત મળી જાય.
રોહિત શેટ્ટીની છેલ્લી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ સાથે પણ એ જ થયું. એક્શન ફિલ્મો માટે જાણીતા ડિરેક્ટર રોહિટ શેટ્ટીએ ‘સિંઘમ અગેઇન’ માટે ૩૫૦ કરોડ રૂપિયા પાણીની જેમ ખર્ચી નાખ્યા હતા.રોહિતને તેની યોગ્યતા અને અજય દેવગણ પર વિશ્વાસ હતો કે આ ફિલ્મ બાક્સ ઓફિસ પર હિટ થશે, પરંતુ ફિલ્મના નિરાશાજનક પરિણામને ધ્યાનમાં લેતાં રોહિત હવે અજય સાથે એક્શન ફિલ્મોથી દૂર રહેવાના મૂડમાં છે.૩૫૦ કરોડની ‘સિંઘમ અગેઇન’એ ભારતમાં ૨૪૧.૭૧ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
આ ફિલ્મથી અજય અને રોહિતને ખૂબ અપેક્ષાઓ હતી, કારણ કે તેમણે ફિલ્મને હિટ બનાવવા તેમણે ફિલ્મમાં અનેક સ્ટાર કાસ્ટ કર્યા હતા. અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, જેકી શ્રોફ, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ અને કરીના કપૂર વગેરે. જો કે, આ સૌ સ્ટાર્સ મળીને પણ રોહિતની ‘સિંઘમ અગેઇન’ને હિટ ના બનાવી શક્યા. ‘સિંઘમ અગેઇન’ ફ્લોપ થયા બાદ રોહિત શેટ્ટીએ નિર્ણય કરી લીધો હતો કે હવે તે અજય દેવગણ સાથે આગામી ફિલ્મ એક્શન-આધારિત નહીં બનાવશે.
તેણે એક ઇન્ટરવ્યૂમાં આ વાત કરતા કહ્યું હતું કે, ‘હાલ હું એક્શન ફિલ્મો પર ધ્યાન નહીં આપું. હવે હું અજય સાથે કોમેડી ફિલ્મ બનાવીશ.’ અને થયું પણ એવું જ. ‘ગોલમાલ’, ‘સન્ડે’, ‘આૅલ ધ બેસ્ટ’, ‘સિંઘમ’, ‘બોલ બચ્ચન’, ‘સિંઘમ રિટર્ન્સ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ જેવી ફિલ્મોમાં રોહિત અને અજયે સાથે કામ કર્યું છે.લાંબા બ્રેક વચ્ચે રોહિતે અજય સાથેની મિત્રતા પર કોઈ અસર પડવા નથી દીધી, પરંતુ તે એક્શનની બદલે કોમેડી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. હાલમાં સમાચાર એવા મળ્યા છે કે રોહિત અને અજય કોમેડી ળેન્ચાઇઝી ‘ગોલમાલ ૫’ માટે સાથે કામ કરી રહ્યા છે.
મળેલી માહિતી મુજબ, ‘ગોલમાલ ૫’ પર કામ શરૂ થઈ ગયું છે, અને ફિલ્મની વાર્તા સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી લાક થઈ જશે.રિપોટ્ર્સ અનુસાર ગોલમાલ સીરિઝના આવનારા પાર્ટમાં અજય દેવગણ સિવાય ફરી એકવાર અર્શદ વારસી, તુષાર કપૂર, કુણાલ ખેમુ, શ્રેયસ તલપડે અને જોની લીવર જેવા કલાકારો જોવા મળી શકે છે.એવું નથી કે રોહિત શેટ્ટીએ એક્શન ફિલ્મો બનાવવાનું બિલકુલ બંધ કરી દીધું છે.
રોહિત એક્શન ફિલ્મો બનાવશે, પરંતુ થોડા વિરામ બાદ. ડિરેક્ટર હાલ જોન અબ્રાહમ સાથે રાકેશ મારિયાની બાયોપિકનું શૂટિંગ કરી રહ્યા છે, જે ૨૦૨૬ની શરૂઆતમાં મોટા સ્ક્રીન પર રિલીઝ થશે. રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત આ ફિલ્મમાં જ્હોન લીડ રોલમાં જોવા મળશે. રાકેશ મારિયાની બાયોપિકનું કામ પૂર્ણ થઈ જશે, ત્યાર બાદ રોહિત તેના ખાસ મિત્ર અજય સાથે ‘ગોલમાલ ૫’નું શૂટિંગ શરૂ કરશે.ss1