શ્રદ્ધા કપૂર પોતાની આગામી ફિલ્મમાં લાવણી નૃત્યાંગનાનો રોલ કરશે

વિઠાબાઈ માત્ર નૃત્યાંગના નહોતાં પરંતુ એક બહાદુર મજબુત મહિલા હતાં
આ ફિલ્મ સ્ત્રીની હિંમત, કલા માટે પ્રેમ અને પુરુષ પ્રધાન સમાજમાં આગળ વધતી સ્ત્રીઓ વિશે છે
મુંબઈ,એક તરફ એક્ટર્સના આવનારા બે ત્રેણ વર્ષના કેલેન્ડર વ્યસ્ત થઈ ગયા હોય છે, ત્યાં બીજી તરફ શ્રદ્ધા કપૂરની છેલ્લી ફિલ્મ ‘સ્ત્રી ૨’ને તો ઘણો સારો પ્રતિસાદ મળ્યો પછી તેની હવે પછીની ફિલ્મ કઈ હશે એ અંગે તેના ફૅન્સ રાહ જોઈ રહ્યા છે. તે મેડોકની કોઈ એક ફિલ્મમાં કામ કરવાની હોવાના અહેવાલો પણ થોડાં દિવસ પહેલાં હતાં. હવે એવા અહેવાલો છે કે શ્રદ્ધાની આવનારી ફિલ્મ વાસ્તવિક વ્યક્તિના જીવન પર આધારીત છે, જે એક શક્તિશાળી રોલ હશે.શ્રદ્ધા લક્ષ્મણ ઉટેકર સાથે આ ફિલ્મ કરી રહી છે, જેમણે વિકી કૌશલની ‘છાવા’ બનાવી હતી.
આ વખતે તે મહારાષ્ટ્રનાં જાણીતા લાવણી લોક નૃત્યાંગના વિઠાબાઈ નારાયણગાંવકરનો રોલ કરશે. આ એક મોટો અને પડકારરૂપ રોલ છે અને શ્રદ્ધા તેમાં પોતાનું શ્રેષ્ઠ કામ કરવા તૈયાર છે. વિઠાબાઈ માત્ર નૃત્યાંગના નહોતાં પરંતુ એક બહાદુર મજબુત મહિલા હતાં. તેમણે વર્ષાે સુધી મંચ પર લાવણી કરી, સંઘર્ષમય સમયમાં પણ તેઓ સ્ટેજ સાથે જોડાયેલાં રહ્યાં હતાં. તેમનાં જીવનની એક ખુબ જાણીતી વા એ છે કે તેમણે પોતાનાં બાળકને જન્મ પણ બેકસ્ટેજ એક શો દરમિયાન જ આપ્યો હતો. ત્યાં તેમને બાળકને જન્મ આપવામાં મદદ કરવા માટે કોઈ જ નહોતું, ત્યારે એક પત્થરની મદદથી તેમણે બાળકની નાડ કાપી હતી અને ફરી સ્ટેજ પર જઇને પોતાની પ્રસ્તુતિ પણ પુરી કરી હતી.
તેમનું પોતાની કળા માટે આ સ્તરનું માન અને સમર્પણ હતું. આમ આ ફિલ્મ માત્ર લાવણી નૃત્યની વાત નથી કરતી. આ ફિલ્મ મહિલાની હિંમત, કળા માટેનો તેનો પ્રેમ અને સમર્પણ અને પુરુષ પ્રધાન વિશ્વમાં તેમણે કઈ રીતે પોતાનું સ્થાન બનાવ્યું, તેની વાત છે. સુત્રોના કહેવા અનુસાર આ ફિલ્મ વિઠાબાઈના જીવન પર આધારીત પુસ્તક પરથી બનશે જેમાં તેમનાં જીવન અને સંઘર્ષ, વિજય અને ઇમાનદારીની વાત કરવામાં આવશે, આ ફિલ્મમાં જાણીતા સંગીતકાર બંધુ અજય અતુલનું સંગીત હોવાની ચર્ચા છે તેમજ આ વિષયની વાર્તા મજબુત છે. તેથી આ ફિલ્મ શ્રદ્ધાની કૅરીઅર માટે પણ મહત્વની છે. ઇતિહાસનું આટલું મજબુત પાત્ર ભજવવું એ કોઈ સહેલી વાત નથી, છતાં શ્રદ્ધાના ફૅન્સને વિશ્વાસ છે કે તે આ ફિલ્મને પુરતો ન્યાય કરશે.ss1