Western Times News

Gujarati News

હું તૂટી ગયો છું, જસ્ટીન બીબરે માનસિક સ્વાસ્થ્ય અંગે વાત કરી

છેલ્લા ઘણાં સમયથી હું મારી જાત વિશે વિચારીને થાકી ગયો છું

જસ્ટીને આ સ્થિતિ જાહેર કર્યા પછી પણ જાણે લોકો તેને એકલો છોડવા માગતા નથી, જે તેના માટે વધુ જોખમી સ્થિતિ બની રહી છે

મુંબઈ,આખરે જસટીન બીબરે પોતાની માનસિક સ્થિતિ અંગે ખુલીને વાત કરી છે, છેલ્લાં કેટલાંક સમયથી તે વિવિધ પ્રકારની પોસ્ટ થકી શંકા ઉપજાવે તેવી વાત કરતો રહ્યો હતો. જસ્ટીન બીબરે આખરે પોતાના મનની વાત કરી, જેનાથી તેના છેલ્લાં ઘણા વખતના વિચારો પાછળનાં કારણ સામે આવી ગયા છે.જસ્ટીને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “લોકો મને વારંવાર સાજાં થવાનું કહેતાં રહે છે. તમને નથી લાગતું કે જો હું મારી જાતને ઠીક કરી શકતો હોત તો પહેલાં જ કરી નાખી હોત. મને ખબર છે હું તુટી ચૂક્યો છું.

મને ખબર છે કે મને ગુસ્સે થવાની સમસ્યા છે. મેં આખી જિંદગી લોકોએ મને કહ્યું એ રીતે કામ કરવાની અને એ લોકો કહે એ રીતે બધું સરખું કરવાની કોશિશ કરી છે. પરંતુ એનાથી હું વધુને વધુ થાકતો રહ્યો છું અને ગુસ્સે થતો રહ્યો છું. જેટલું હું સરખું કરવાની કોશિશ કરું એટલું જ હું મારી જાત પર વધારે ધ્યાન આપી શકું છું. જિસસ એક જ એવી વ્યક્તિ છે જે ઇચ્છે છે કે મારું જીવન બીજા માટે હોય. કારણ કે છેલ્લા ઘણાં સમયથી હું મારી જાત વિશે વિચારીને થાકી ગયો છું. તમે પણ?”જસ્ટીને આ સ્થિતિ જાહેર કર્યા પછી પણ જાણે લોકો તેને એકલો છોડવા માગતા નથી, જે તેના માટે વધુ જોખમી સ્થિતિ બની રહી છે.

ઘણા લોકોએ આ મેસેજનું અલગ અર્થઘટન કર્યું છે. ઘણા લોકોએ તેને પરિવાર સાથે કોઈ જગ્યાએ જતા રહીને ખુશીથી જીવન વિતાવવા પણ સલાહ આપી હતી, તો કોઈએ તેને સોશિયલ મીડિયા છોડી દેવાની પણ સલાહ આપી હતી. તો કોઈએ કહ્યું હતું કે તેણે એક વ્યક્તિને કમાતા બે જિંદગી લાગે એટલું જ એક જિંદગીમાં કમાઇ લીધું છે તો તેણે લોસ એન્જલસ છોડીને કોઈ એક ઝૂંપડીમાં પોતાની પત્ની અને બાળક સાથે રહેવાં જતા રહેવું જોઈએ. તો ઘણા લોકોએ તેને જવાબદાર બનવાની અને રિહેબમાં જવાની પણ સલાહ આપી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.