Western Times News

Gujarati News

યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સામેલ થનારા કર્મચારીઓને થશે ફાયદો

(એજન્સી)નવી દિલ્હી, જો તમે પોતે કેન્દ્રીય કર્મચારીઓ હોવ કે પછી તમારા પરિવારમાં કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી કે પછી તમારા પરિવારમાં કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો આ સમાચાર તમારા કામના છે. લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર તરફથી મોટી જાહેરાત કરાઈ છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સામેલ થનારા કર્મચારી હવે ઓલ્ડ પેન્શન સ્કીમ હેઠળ રિટાયર્ડ અને ડેથ ગ્રેચ્યુઈટીના હકદાર રહેશે. આ નિર્ણયની સાથે જ કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી પણ પૂરી થઈ ગઈ છે.

કાર્મિક રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે સરકાર તરફથી લાગૂ કરાયેલી નવી જોગવાઈ એનપીએસ હેઠળ આવતા કર્મચારીઓને સોશિયલ સિક્્યુરિટી આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સિંહે જણાવ્યું કે યુપીએસમાં સામેલ કેન્દ્રીય કર્મચારીઓ હવે સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ગ્રેચ્યુઈટી ચૂકવણી) નિયમ ૨૦૨૧ હેઠળ રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેચ્યુઈટીના હકદાર રહેશે.

ત્યારબાદ યુપીએસમાં સામેલ થનારા કર્મચારીઓને ૨૫ લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટીનો ફાયદો મળી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ તરફથી જારી આદેશમાં કહેવાયું છે કે યુપીએસ હેઠળ કર્મચારીઓને નોકરી દરમિયાન મૃત્યુ કે અક્ષમતાના કારણે નોકરી છોડવા પર ઓપીએસના ફાયદા લેવાનો વિકલ્પ મળશે.

ર્ડ્ઢઁઁઉના સચિવ વી. શ્રીનિવાસે જણાવ્યું કે આ આદેશ કર્મચારીઓની શંકા દૂર કરે છે અને પ્રગતિશીલ છે. ઓલ ઈન્ડિયા એનપીએસ ઓમ્પ્લોઈઝ ફેડરેશનના ચેરમેન મંજીત સિંહ પટેલે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. તેમણે કહ્યું કે યુપીએસમાં ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુઈટી સામેલ થવાથી કર્મચારીઓની ગેરસમજ દૂર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.