ક્રેશ થયેલા વિમાનમાં ઉડાન પહેલા કોઇ સમસ્યા ન હતીઃ એર ઇન્ડિયા

બંને એન્જિન,વિમાનનું નિયમિત ચેકિંગ થયું હતુંઃ કેમ્પબેલ
વિશ્વાસ વધારવાના પગલા તરીકે એરલાઇન તેના બોઇંગ ૭૮૭ અને ૭૭૭ કાફલાનું પ્રિ-ફ્લાઇટ સેફ્ટી ચેકિંગ વધારી રહી છે
મુંબઈ,એર ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને ગુરુવારે જણાવ્યું હતું કે અમદાવાદમાં ક્રેશ થયેલ બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનરનું સારી રીતે મેન્ટેનન્સ થયું હતું અને છેલ્લે જૂન ૨૦૨૩માં તેની મોટી તપાસ કરાઈ હતી. આગામી ચેકિંગ આ વર્ષે ડિસેમ્બરમાં નિર્ધારિત હતું. ઉડાન પહેલા વિમાન કે તેના એન્જિનમાં કોઇ સમસ્યા દેખાઈ ન હતી.
વિમાન મુસાફરોને આપેલા સંદેશમાં એર ઇન્ડિયાના વડાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ઇન્ટરનેશનલ વાઇડ બોડી ફ્લાઇટ્સમાં ૧૫ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય એક કામચલાઉ પગલું છે. કેમ્પબેલ વિલ્સન જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૫માં તેના જમણા એન્જિનનું ઓવરહોલ કરાયું હતું અને એપ્રિલ ૨૦૨૫માં ડાબા એન્જિનનું નિરીક્ષણ કરાયું હતું. વિમાન અને એન્જિન બંનેનું નિયમિત નિરીક્ષણ કરાયું હતું. ઉડાન પહેલાં કોઈ સમસ્યા દેખાઈ ન હતી.
એરલાઇન તેમજ સમગ્ર ઉડ્ડયન ઉદ્યોગ આ દુર્ઘટનાનું કારણ સમજવા માટે સત્તાવાર તપાસ અહેવાલની રાહ જોઈ રહ્યું છે.વિશ્વાસ વધારવાના પગલા તરીકે એરલાઇન તેના બોઇંગ ૭૮૭ અને ૭૭૭ કાફલાનું પ્રિ-ફ્લાઇટ સેફ્ટી ચેકિંગ વધારી રહી છે. આંતરારાષ્ટ્રીય ફ્લાઇટમાં ઘટાડાને મુદ્દે તેમણે જણાવ્યું હતું કે વધારાના ચેકિંગને કારણે તેના શિડ્યુલ્ડને અસર થઈ છે. તેથી ઓછામાં ઓછા મધ્ય જુલાઇ સુધી ઇન્ટરનેશનલ વાઇડ બોડી ફ્લાઇટ્સમાં ૧૫ ટકા ઘટાડાનો નિર્ણય કરાયો છે. ss1