પીઆઇ, તપાસ કરનાર જ ગાયબ…કોર્ટે આરોપીઓને છોડી મૂકયા

૧૯૯૪ના કેસમાં ફરિયાદી
૧૯૯૪માં અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-૧૨ પરથી ચાર આરોપીને રેલવે પોલીસે પકડ્યા હતા
અમદાવાદ,અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લટફોર્મ પરથી ૩૬ વર્ષ પહેલા ૩૨ બોરની રિવોલ્વર, જીવતા કારતૂસ અને વાપરેલા કારતૂસો સાથે ચાર આરોપી ઝડપાયા હતા. આ કેસ ચાલતા કેસના ફરિયાદી પીઆઈ બી.વી.જાડેજાને વોરન્ટ કાઢતા મળી આવ્યા નથી. જ્યારે તપાસનીશ અધિકારી એન.એમ.ચુડાસમાને સમન્સ કાઢવા છતાં મળી ન આવતા એડિ.ચીફ જ્યુડિ.મેજિસ્ટ્રેટ જીતેશ વી.જોષીએ આરોપીઓને છોડી મૂક્યા છે. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી બી.પી.જાડેજા સામે વોરન્ટ કાઢવા છતાં તેઓ મળી આવ્યા નહીં હોવાથી તેમને તપાસી શકાયા નથી.
મુદ્દામાલના પંચોને પણ અવારનવાર સમન્સ કાઢવા છતાં મળી આવ્યા નથી. તપાસનીશ અધિકારીને સમન્સ કાઢતા તેઓ જણાવેલા સરનામે મળી આવ્યા નથી. આમ, સમગ્ર કાર્યવાહી જેમણે કરી છે તેમનો પુરાવો રેકર્ડ ઉપર આવ્યો નથી. આમ, આરોપીઓ સામેનો કેસ નિઃશંકપણે પુરવાર થયેલો માની શકાય નહીં. જેથી આરોપીઓને છોડી મૂકવામાં આવે છે. આ કેસમાં આરોપીઓ પણ નહીં મળતા તેમની ગેરહાજરીમાં કેસ ચલાવીને કોર્ટે છોડી મૂક્યા હતા.
આ કેસની વિગત એવી છે કે, ૫-૬-૧૯૯૪ના રોજ સાંજે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ૧૨ના ઓવરબ્રિજ પાસેથી પસાર થતા મુકેશકુમાર શર્મા, રાજકુમાર ખાની, શેતાનકુમાર જેવર અને વિજેન્દ્ર યાદવની રેલવે પોલીસે તેમની તલાશી લેતા ૩૨ બોરની રિવોલ્વર, જીવતા અને વાપરેલા કારતૂસો મળી આવતા ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપીઓ જામીન પર મુકત થયા બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ મૂક્યું હતું.
જે કેસ ચાલતા આરોપીઓ મળી નહીં આવતા તેમની ગેરહાજરીમાં કેસ ચાલ્યો હતો. જ્યારે ફરિયાદી તરફથી એક માત્ર સાક્ષીની જુબાની થતા કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને છોડી મૂક્યા હતા. આમ, આ કેસમાં મહત્વની બાબત એ છે કે, સીપીઆઈ જેવા અધિકારીને કોર્ટે વોરન્ટ કાઢવા છતાં તેઓ મળી આવ્યા નહોતા જ્યારે તપાસનીશ અધિકારીને સમન્સની બજવણી થઈ શકી નહોતી.ss1