Western Times News

Gujarati News

કુબેર’ ફિલ્મને રિલીઝ પહેલા જ ઝટકો,બોર્ડે ૧૯ દ્રશ્ય કાપી નાખ્યા

ધનુષની પહેલી તેલુગુ ફિલ્મ, ભિખારીની ભૂમિકામાં ભીડ લૂંટી

આ ફિલ્મનું નિર્માણ એમિગોસ ક્રિએશન્સનાં સુનીલ નારંગ અને પુષ્કર રામમોહન રાવે કર્યું છે

મુંબઈ, આમિર ખાનની ‘સિતારે જમીન પર’ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, ત્યારે ધનુષ, નાગાર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત ‘કુબેર’ પણ રિલીઝ થઈ રહી છે. શેખર કમ્મુલા દ્વારા દિગ્દર્શિત ‘કુબેર’ એક ક્રાઈમ ડ્રામા છે. આ ફિલ્મનું શૂટિંગ તમિલ અને તેલુગુ બંને ભાષાઓમાં એકસાથે કરવામાં આવ્યું છે, જ્યારે તે હિન્દી, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ થઈ રહી છે. જોકે, નવીનતમ માહિતી એ છે કે ફિલ્મને રિલીઝ પહેલા જ સેન્સર બોર્ડ દ્વારા ફટકો પડ્યો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનએ ફિલ્મમાંથી ૧૯ દ્રશ્યો કાપી નાખ્યા છે.‘કુબેર’ ફિલ્મને સીબીએફસી તરફથી યુએ પ્રમાણપત્ર મળ્યું છે. ૧૯ દ્રશ્યો કાપવાને કારણે, ફિલ્મ હવે ૧૩ મિનિટ અને ૪૧ સેકન્ડ ટૂંકી થઈ ગઈ છે. ફિલ્મના સત્તાવાર એકાઉન્ટે સીબીએફસી દ્વારા યુએ સર્ટિફિકેટ રિલીઝ થયાના સમાચાર આપ્યા છે અને કહ્યું છે કે ફિલ્મનો રનટાઇમ હવે ૧૮૧ મિનિટ છે. એટલે કે, તે હજુ પણ ૩ કલાક અને ૦૧ મિનિટ લાંબી ફિલ્મ છે.નિર્માતાઓનો દાવો છે કે ફિલ્મમાં બધું જ છે – નાટક, લાગણી, પ્રેમ, લોભ અને રોમાંચ. આંધ્ર બોક્સ ઓફિસ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, ફિલ્મમાંથી ૧૯ દ્રશ્યો દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

જે દ્રશ્યો કાપવામાં આવ્યા છે તેમાં ધનુષ, રશ્મિકા અને જીમ સરભના દ્રશ્યો શામેલ છે. દલીપ તાહિલ ‘કુબેર’માં પણ છે.દર્શકો અને બોક્સ ઓફિસ બંનેને ‘કુબેર’ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આનું કારણ એ છે કે આ ધનુષની પહેલી તેલુગુ ફિલ્મ છે. જ્યારે આ ‘અનામિકા’ પછી દિગ્દર્શક શેખર કમ્મુલાનું બીજું ફિલ્મ છે. તાજેતરમાં જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું, ત્યારે ધનુષના ભિખારી પાત્રને જોઈને બધા તેના ચાહક બની ગયા. આ ફિલ્મનું નિર્માણ એમિગોસ ક્રિએશન્સનાં સુનીલ નારંગ અને પુષ્કર રામમોહન રાવે કર્યું છે.‘કુબેર’નું ટ્રેલર ફિલ્મના પ્લોટનો ખ્યાલ આપે છે. ટ્રેલર અભિનેતા હરીશ પેરાડીથી શરૂ થાય છે, જે રાજકારણી બની ગયો છે.

જીમ સર્ભ એક શ્રીમંત ઉદ્યોગપતિ છે. અહીં હરીશ તેલ (પેટ્રોલિયમ)ના વ્યવસાયને ‘કુબેરનો ખજાનો’ તરીકે વર્ણવી રહ્યો છે. જીમ સર્ભ આ ખજાનો ઇચ્છે છે. વાર્તામાં, નાગાર્જુન એક મોટા સરકારી અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છે. તેને પૈસાની જરૂર છે. આ માટે, તે ભ્રષ્ટ રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે જોડાય છે. ટ્રેલર સંકેત આપે છે કે રાજકારણીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓનું આ જોડાણ ભિખારીઓની મદદથી તેમના કાળા નાણાંનો નિકાલ કરે છે.

દરમિયાન, એક ભિખારી આ શાસક કુબેરોને છેતરે છે.ધનુષ આ વાર્તામાં ભિખારી દેવાની ભૂમિકા ભજવે છે.નાગાર્જુનનું પાત્ર દેવાને કેટલાક મોટા કાર્યાે માટે તાલીમ આપે છે. એવું લાગે છે કે રશ્મિકા મંદાન્ના પણ નાગાર્જુન માટે કામ કરી રહી છે. વાર્તામાં વળાંક એ છે કે દેવા બધાની અપેક્ષા કરતાં વધુ હોશિયાર નીકળે છે. આ ચાલાક ભિખારી હવે બધા માટે ખતરો બની ગયો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.