મમતા બેનર્જીએ કેસરી ચેપ્ટર ૨ ના નિર્માતાઓ સામે કરી ફરિયાદ

ફિલ્મને લઈને પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું
ટીએમસીએ એવો પણ આરોપ લગાવ્યો કે કેન્દ્રની ભાજપ સરકાર બંગાળની સંસ્કૃતિ, ઇતિહાસ અને ઓળખ સાથે સતત છેડછાડ કરી રહી છે
મુંબઈ,અક્ષય કુમારની ‘કેસરી ચેપ્ટર ૨’ ના નિર્માતાઓ સામે ઇતિહાસ સાથે છેડછાડ કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં બંગાળના સ્વાતંર્ત્ય સેનાનીઓના નામ બદલવામાં આવ્યા છે.અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર ૨’ ને લઈને પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે.
શાસક તૃણમૂલ કોંગ્રેસએ ફિલ્મના નિર્માતાઓ પર બંગાળના સ્વાતંર્ત્ય સંગ્રામમાં યોગદાન આપનારા ક્રાંતિકારીઓના ઇતિહાસને વિકૃત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, ફિલ્મના સાત નિર્માતાઓ વિરુદ્ધ બુધવારે ભારતીય દંડ સંહિતા ની અનેક કલમો હેઠળ બિધાનનગર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ફિલ્મમાં ખુદીરામ બોઝને “ખુદીરામ સિંહ” અને બરિન્દ્ર કુમાર ઘોષને “બિરેન્દ્ર કુમાર” (અમૃતસરના રહેવાસી) તરીકે વર્ણવવામાં આવ્યા છે.
ટીએમસી નેતાઓ કહે છે કે આ માત્ર ભૂલ નથી, પરંતુ બંગાળના ઐતિહાસિક યોગદાનને ભૂંસી નાખવાનું એક સુનિયોજિત કાવતરું છે.ટીએમસી પ્રવક્તા કુણાલ ઘોષે પત્રકાર પરિષદમાં કહ્યું, “દેશ માટે પોતાનો જીવ આપનારા મહાન સ્વતંત્રતા સેનાનીઓના નામ બદલવામાં આવ્યા હતા. આ ઇતિહાસ સાથે છેડછાડ નથી, પરંતુ બંગાળની ઓળખ પર હુમલો છે. આવી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ કેવી રીતે મળ્યું?ફિલ્મનું નામ લીધા વિના, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિર્માતાઓ પર પણ નિશાન સાધ્યું.
તેણીએ કહ્યું, “બંગાળના ક્રાંતિકારીઓની ભૂમિકાને ઓછી આંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે આની સખત નિંદા કરીએ છીએ. આ બધું ભાજપની મિલીભગતથી થઈ રહ્યું છે.”ટીએમસીએ એવો પણ આરોપ લગાવ્યો કે કેન્દ્રની ભાજપ સરકાર બંગાળની સંસ્કૃતિ, ઇતિહાસ અને ઓળખ સાથે સતત છેડછાડ કરી રહી છે. કુણાલ ઘોષે કહ્યું, “આ પહેલી વાર નથી, પરંતુ આ વખતે મર્યાદા ઓળંગી ગઈ છે. બંગાળના ગૌરવને ભૂંસી નાખવાના કાવતરાને સહન કરવામાં આવશે નહીં.”ss1