Western Times News

Gujarati News

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા મામલે કોંગ્રેસના ઉગ્ર દેખાવઃ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું

AMC તંત્રના અધિકારીઓ ભષ્ટ્રાચાર કરવા બાબતે ગળાડુબ છે જેને કારણે અમદાવાદ શહેર તાજેતરના વરસાદમાં સ્વીમીંગ પુલ સમાન સીટી બનેલ છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવેલ પ્રિ- મોન્સુન પ્લાન માત્ર ત્રણ ઇંચ વરસાદમાં જ ધોવાઈ ગયો હતો તંજ શહેર ના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મામલે કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમજ નિકોલ વોર્ડના મધુ માલતી સોસાયટીમાં રહેતા વ્યકિત તેમજ દરિયાપુર વોર્ડ ની દુધવાળી પોળ માં રહેતા વ્યકિત ને વીજ પોલ નો કરંટ લાગતા બંને ના મૃત્યુ થતા કોર્પોરેશન ના જવાબદાર અધિકારીઓ સામે હ્લ.ૈં.ઇ. નોંધાવવાની તેમજ મરણ પામેલા નાગરિકો ને વળતર આપવાની માગણી કરી હતી.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ તાજેતરમાં પડેલ ૩ ઈંચ વરસાદમાં તમામ રોડ પર પાણી ભરાયા હતા. સીઝનની શરૂઆતમાં પડેલ એક જ વરસાદમાં ઠેર ઠેર નગરજનોના ઘર તથા કોર્મશિયલ એકમો પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદ બંધ થયા પછી પણ અન્ડરપાસો ૧૦ કલાક સુધી બંધ રાખવામાં આવ્યા હતા. શહેરના વિસ્તારોમાં કલાકો સુધી પાણી ભરાઈ રહયા હતા. નિકોલના મધુમાલતી આવાસમાં એમ્બ્યુલન્સ નહી જઈ શકવાને કારણે સમયસર મેડીકલ સારવાર ન મળવાથી રસ્તામાં જ દદીનું મોત થયું હતું.

એનાથી કરુણ સ્થિતિ બીજી કઈ હોઈ શકે? અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન પ્રજાને પડતી મુશ્કેલીઓ તેમજ તેમની ફરિયાદોના નિકાલ માટે પ્રી-મોન્સુન એકશન પ્લાન દર વર્ષે તૈયાર કરવામાં આવે છે તેમાં વિવિધ પ્રશ્નોની વારંવાર રજુઆત કરવા છતાં તેમજ તે અંગે તાકીદે કામગીરી કરવા જણાવ્યા છતાં કોઈ અસરકારક પરિણામ આવતું નથી

આવી જ પરિસ્થિતિનું દર વર્ષે પુનરાવર્તન થાય છે તેમ છતાં તંત્રના અધિકારીઓ ભષ્ટ્રાચાર કરવા બાબતે ગળાડુબ છે જેને કારણે અમદાવાદ શહેર તાજેતરના વરસાદમાં સ્વીમીંગ પુલ સમાન સીટી બનેલ છે. જે કમનસીબ બાબત છે. આ ઉપરાંત દુધવાળી પોળ પાસે પણ વીજ કરંટ લાગવાથી એક યુવાનનું મૃત્યુ થયું છે. આ બંને કેસમાં પોલીસ ફરિયાદ કરવી જરૂરી છે.

અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ કરવા ૨૦૧૫-૧૬ માં સ્ટ્રોમ વોટર લાઈન ૯૨૩ કિ.મી ની હતી તે દસ વર્ષ પછી એટલે કે સને ૨૦૨૪-૨૫ માં વરસાદી પાણીના નિકાલ કરવા સ્ટ્રોમ વોટર લાઇનો માત્ર ૯૮૦ કિ.મી છે.જેથી દસ વર્ષમાં માત્ર ૫૬ કિ.મી લાઈનો જ નાખવામાં આવી છે.

છેલ્લા પાંચ વર્ષના કુલ રૂ.૪૭૨૮૯ કરોડના બજેટમાંથી સ્ટ્રોમ વોટર લાઇનો નાખવા માટે માત્ર ૧૨૪.૨૯ કરોડનો ખર્ચ થયો છે. એટલે કે કુલ બજેટના ૧ % નો પણ ખર્ચ થયો નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.