એર ઈન્ડિયાએ વધુ આઠ ફ્લાઈટ રદ કરી, બુકિંગમાં ૨૦%નો ઘટાડો

રદ થયેલી ફ્લાઈટ્સમાં અડધો અડધ આંતરરાષ્ટ્રીય રૂટની
દિલ્હી-પુણે ફ્લાઈટ જ્યારે પુણે એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે તેમાં બર્ડ હિટ થયાનું જણાતા રિટર્ન ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી
નવી દિલ્હી,એર ઈન્ડિયાએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક રૂટની મળીને આઠ ફ્લાઈટ રદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ ઉડાન પૂર્વે વિમાનની સઘન ચકાસણી કરવાનો નિર્ણય કર્યાે હોવાથી કેટલીક ફ્લાઈટ્સમાં કાપ પણ મૂક્યો છે. પરિણામે તેની સેવા પ્રભાવિત થઈ હોવાનું જણાય છે. અમદાવાદની વિમાન દુર્ઘટાન બાદ એર ઈન્ડિયાના એકંદરે બુકિંમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શુક્રવારે કુલ આઠ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી જેમાં ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો સમાવેશ થાય છે. દુબઈ-ચેન્નાઈ (AI૯૦૬), દિલ્હી-મેલબોર્ન (AI૩૦૮), મેલબોર્ન-દિલ્હી(AI૩૦૯) અને દુબઈ-હૈદરાબાદ((AI૨૨૦૪) રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત જે ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરાઈ તેમાં પુણે-દિલ્હી (AI૮૭૪), અમદાવાદ-દિલ્હી (AI૪૫૬), હૈદરાબાદ-મુંબઈ (AI૨૮૭૨) અને ચેન્નાઈ-મુંબઈ (AI૫૭૧)નો સમાવેશ થાય છે.
દિલ્હી-પુણે ફ્લાઈટ જ્યારે પુણે એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે તેમાં બર્ડ હિટ થયાનું જણાતા રિટર્ન ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી.ટુર ઓપરેટ સંસ્થા ઈન્ડિયન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સ (આઈએટીઓ)ના મતે અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈન વિમાન તૂટી પડ્યાના બનાવ બાદ એક સપ્તાહમાં એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ્સના બુકિંગમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ સરેરાશ ભાડાંમાં પણ ૮-૧૫ ટકાનો ઘટાડો થયો છે.
ફેડરેશન ઓફ એસોસિએશન્સ ઈન ઈન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (ફેઈથ)ના જનરલ સેક્રેટરી રાજવી મેહરાએ જણાવ્યું કે, એર ઈન્ડિયાને બુકિંગમાં ફટકો પડ્યો છે અને તીવ્ર સ્પર્ધાત્મકતા ધરાવતા કેટલાક ક્ષેત્રોમાં અન્ય એરલાઈનની તુલનાએ ભાડું ૧૦ ટકા સસ્તું જણાય છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ બુકિંગમાં ઘટાડાના મુદ્દે કોઈ ટિપ્પણી કરી નહતી. નિષ્ણાતોના મતે એર ઈન્ડિયા માટે બુકિંગમાં ઘટાડાના સમસ્યા કામચલાઉ ધોરણે રહેશે અને તે સુરક્ષિત એરલાઈન તરીકે ગ્રાહકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે ત્યારબાદ સ્થિતિ ફરી સામાન્ય થઈ શકે છે.ss1