શુભાંશુ શુક્લાને અવકાશમાં લઇ જતું મિશન ફરી એકવાર મોકૂફ

આ મિશન રવિવાર, ૨૨ જૂને લોન્ચ થવાનું હતું
ઓર્બિટલ લેબમાં રશિયન સેક્શનના સમારકામ પછી તેની કામગીરીનું મૂલ્યાંકન કરવા વધારાના સમયની જરૂર ઃ નાસા
નવી દિલ્હી,ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઇ જતાં એક્સિઓમ-૪ મિશનને અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ફરી વખત મોકૂફ રાખ્યું હતું. આ મિશન રવિવાર, ૨૨ જૂને લોન્ચ થવાનું હતું. જોકે નાસાએ જણાવ્યું હતું કે આ ઓર્બિટલ લેબમાં રશિયન સેક્શનના સમારકામ પછી તેની કામગીરીનું મૂલ્યાંકન કરવા વધારાના સમયની જરૂર હોવાથી આ મિશનને મોકૂફ રખાયું છે.
મિશનની નવી તારીખ હજુ જાહેર કરાઈ નથી. સ્પેસએક્સના ફાલ્કન-૯ રોકેટના બૂસ્ટરમાં લીકેજ, ખરાબ હવામાન અને ઝવેઝદા સર્વિસ મોડ્યુલના પાછળના ભાગમાં લીકેજને જેવા વિવિધ કારણોસર આ મિશન ઘણી વખત મુલતવી રાખ્યા બાદ તેને ૨૨ જૂને લોન્ચ કરવાની યોજના હતી. નાસાએ જણાવ્યું હતું કે ઓર્બિટલ લેબોરેટરીના ઝવેઝદા સર્વિસ મોડ્યુલના પાછળના ભાગમાં તાજેતરના સમારકામ પછી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની કામગીરીનું મૂલ્યાંકન ચાલુ રાખવા માટે અવકાશ એજન્સીને વધારાના સમયની જરૂર છે.ss1