Western Times News

Gujarati News

AMC દ્વારા નાંખવામાં આવી રહેલી વેસ્ટર્ન-ઈસ્ટર્ન ટ્રંક લાઈનનો લાભ ર૩ લાખ નાગરિકોને મળશે

પ્રતિકાત્મક

શહેરના વૈષ્ણોદેવીથી ફતેહવાડી કેનાલ અને નરોડાથી હાથીજણ સુધીના વિસ્તારોમાં ડ્રેનેજ સમસ્યાના કાયમી નિકાલ આવશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિકાલ માટે વેસ્ટર્ન તથા ઈસ્ટર્ન ટ્રંક મેઈન નાંખવામાં આવી રહી છે

જે પૈકી ઈસ્ટર્ન ટ્રંક લાઈનનું કામ જુન મહિનામાં જ પુર્ણ થઈ જશે જયારે વેસ્ટર્ન લાઈનનુ કામ પૂર્ણ થવામાં થોડો સમય લાગી શકે તેમ છે. આ બંને ટ્રંક લાઈનના કામ પૂર્ણ થયા બાદ શહેરના પશ્ચિમ વિસ્તારના વૈષ્ણોદેવી સર્કલથી ફતેહવાડી સુધી અને નરોડાથી હાથીજણ સુધીના વિસ્તારોમાં ડ્રેનેજ ઓવરફલો અને વરસાદી પાણી નિકાલની સમસ્યાનો ઝડપી ઉકેલ આવશે તેમજ અંદાજે ર૩ લાખ નાગરિકોને આ સુવિધાનો લાભ મળશે. આ બંને લાઈનો માટે અંદાજે રૂ.૪૦૦ કરોડ કરતા વધુ ખર્ચ થશે.

અમદાવાદ શહેરના પશ્વિમ વિસ્તારમાં વેસ્ટર્ન ટ્રેક લાઈન નાંખવાની કામગીરી ૨૮.૫૦ કી.મીની લંબાઇમાં અંદાજીત રૂ. ૨૯૬.૩૪ કરોડના ખર્ચે શરૂ કરી છે. જે પૈકી ૨૫.૮૨ કી.મી. લંબાઈમાં પૂરી થઈ છે. બાકીની ૧.૯ કી.મી કામગીરી જુલાઈ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે. આ કામગીરી સંપુર્ણ થયા બાદ ગોતા, સાયન્સ સીટી વિસ્તાર, ચાંદલોડીયા, ઓગણજ, શીલજ, શેલા, સાઉથ બોપલ, ભાડજ,

હેબતપુર, થલતેજ, બોપલ, ધુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ (એપલવુડ), મક્તમપુરા, મુમદપુરા, ફતેહવાડી, શાંતીપુરા, સનાથલ, ફતેહવાડી ગામતળ એરીયામાં ઉદભવતી ડ્રેનેજ ઓવરફલોની સમસ્યાના પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ આશરે ૧૮.૨૦ લાખ વસ્તીને ટ્રેનેજની સુવિધાનો લાભ મળશે.

તા. ૧૧.૦૬.૨૫ ના રોજ ફતેહવાડી કેનાલ પુસીંગની ચાલુ કામગીરી દરમ્યાન કેનાલ માં પાણી આવવાથી પુસીંગની કામગીરીમાં સેટલમેન્ટ થઈ ગયેલ છે. જેથી ધોળકા રોડ થી ફતેહવાડી કેનાલ સુધી પાણી ભરાઈ ગયા છે. સેટલમેન્ટ થવાના કારણે વેસ્ટર્ન ટ્રેક લાઈન નાંખવાની કામગીરી પુર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઇસ્ટર્ન ટૂંક લાઈન નાંખવાની કામગીરી ૧૧.૩૩ કી. મી. ની લંબાઈમાં અંદાજીત રૂ. ૧૧૨.૩૮ કરોડના ખર્ચે ચાલી રહી છે જે પૈકી ૧૦.૮૧ કી.મી લંબાઈમાં કામગીરી પૂર્ણ કરેલ છે. અને બાકીની ૦.૫ કી.મી. કામગીરી જુન ૨૦૨૫ સુધીમાં પૂરી થશે.

આ કામગીરી પૂર્ણ થયા બાદ ઓઢવ ૩૧૦ પંપીગ સ્ટેશનને પુરતી કેપીસીટીથી ચલાવી શકાશે. જેનાથી નરોડા, હંસપુરા, ઓઢવ, કઠવાડા, વસ્ત્રાલ, નિકોલ તથા રામોલ હાથીજણ વિસ્તારોમાં ઉદભવતી ડ્રેનેજ ઓવરફલોની સમસ્યાના પ્રશ્નનું નિરાકરણ આવી શકશે.જે મુજબ અંદાજીત ૫.૦ લાખ વસ્તીને લાભ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.