૪૧ મેડિકલ કોલેજોને માન્યતા ન મળતા પ્રવેશ પ્રક્રિયા ટલ્લે ચડી

નેશનલ મેડિકલ કમિશન દ્વારા કરવામાં આવેલી લાલીયાવાડીને કારણે મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં અડચણ
અમદાવાદ,રાજ્યમાં મેડિકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા હાલમાં અટકી પડી છે. આની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે, ૪૧ મેડિકલ કોલેજોને માન્યતા મળેલી નથી. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા કરવામાં આવેલી લાલીયાવાડીને કારણે, મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં અડચણ ઉભી થઈ છે.‘NMC’એ હજુ સુધી ગુજરાતની કોલેજોમાં ઇન્સ્પેકશન શરૂ કર્યું નથી. માત્ર મેડિકલ જ નહી પરંતુ ૧૩ ડેન્ટલ, ૪૪ આયુર્વેદ અને ૪૮ હોમિયોપેથી કોલેજોને પણ માન્યતા મળી નથી.
હાલમાં NEETનું પરિણામ જાહેર થઈ ચૂક્્યું છે, તેમ છતાંય પરિણામ જાહેર થયાના ૪૫ દિવસ બાદ પણ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. આ વર્ષે ગુજરાતમાંથી લગભગ ૮૧,૦૦૦ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી હતી. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ NMC સામે પ્રહાર કર્યા છે અને આક્ષેપ લગાડ્યા છે કે, NMC પાસે પૂરતા સ્ટાફ કે ઇન્સ્પેક્ટરો ઉપલબ્ધ નથી. આ સાથે જ એજન્ટો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે છેતરપિંડી કરી રહ્યાં હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે. કોંગ્રેસે માંગ કરી છે કે, NMC તાત્કાલિક કોલેજની માન્યતાની પ્રક્રિયા પૂર્ણ કરે. ss1