Western Times News

Gujarati News

હું ગમે તે કરું પણ નોબેલ પુરસ્કાર નહીં મળેઃ ટ્રમ્પે વ્યથા ઠાલવી

પાકિસ્તાને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ કરી

યુએસ પ્રમુખે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્રવિરામ કરાવ્યું હોવાનું રટણ કર્યું

વોશિંગ્ટન,અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, હું ગમે તે કરું પણ મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવવા બદલ અથવા રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષને રોકવાના પ્રયાસો છતાં મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે.ટ્‌›થ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, મેં અને વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ છેલ્લાં કેટલાંક સમયથી લોહીયાળ યુદ્ધ કરી રહેલાં કોંગો અને રવાન્ડાને સમજૂતી કરવા મનાવી લીધાં છે.

બંને દેશોના પ્રતિનિધિઓ સોમવારે આ સમજૂતી પર હસ્તાક્ષર કરવા વોશિંગ્ટન આવશે. તેમણે આળિકા અને સમગ્ર વિશ્વ માટે આ દિવસને મહાન ગણાવ્યો હતો. જોકે આમ છતાં મને મારા આ પ્રયાસો બદલ નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. મને તેના માટે નોબેલ નહીં મળે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવા બદલ કે સર્બિયા અને કોસોવો વચ્ચેનું યુદ્ધ અટકાવવા બદલ પણ મને નોબેલ નહીં મળે તેમ તેમણે બળાપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ કરેલાં અમાનવીય હુમલાને પગલે ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કરી તેને નષ્ટ કર્યાં હતાં. ભારતના વળતાં જવાબને પગલે બંને દેશો વચ્ચે ત્રણ દિવસ સુધી લડાઈ ચાલી હતી. છેવટે ૧૦ મેના રોજ બંને દેશોના સૈન્ય વડાઓએ પારસ્પારિક વાતચીત બાદ શસ્ત્રવિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પ સતત એવું રટણ કરતાં આવ્યાં છે કે, આ યુદ્ધવિરામ મેં કરાવ્યો છે. જોકે ભારતે શરૂઆતથી જ સ્પષ્ટ કહ્યું છે કે, પાકિસ્તાને યુદ્ધવિરામ માટે કરેલી પહેલને પગલે યુદ્ધવિરામ થયો હતો. તેમાં ત્રીજા કોઈ દેશે મધ્યસ્થી કરી નહોતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને અટકાવવામાં મહત્વની ભૂમિકા બદલ પાકિસ્તાન સરકારે ૨૦૨૬ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામની ભલામણ કરવાનો નિર્ણય કર્યાે છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પાકિસ્તાની સૈન્યના વડા અસિમ મુનિરને ભોજન કરાવ્યાના ત્રણ દિવસ બાદ પાકિસ્તાન સરકારે આ જાહેરાત કરી છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ પરની એક પોસ્ટમાં પાકિસ્તાને જણાવ્યું છે કે, પાકિસ્તાન સરકારે ૨૦૨૬ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે ટ્રમ્પના નામની ભલામણ કરી છે. પોસ્ટમાં વધુમાં જણાવ્યાં અનુસાર, પ્રાદેશિક તણાવના માહોલ વચ્ચે પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઈસ્લામાબાદ અને નવી દિલ્હી સાથે રાજદ્વારી સંવાદ સાધી કુશળ વ્યૂહાત્મક ક્ષમતા અને મુત્સદીગીરી દર્શાવી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.