પહેલગામ હુમલાના આતંકીઓને શરણ આપનાર બેની ધરપકડ

AI Image
હુમલાના બે મહિના પછી NIAને સફળતા મળી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલ ૨૦૨૫એ થયેલા ભીષણ આતંકવાદી હુમલાને બે મહિના થયા
નવી દિલ્હી,રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને પહેલગામ આતંકવાદી હુમલાના મામલામાં મોટી સફળતા મળી છે. આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે પાકિસ્તાનથી આવેલા લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને શરણ આપવામાં સામેલ હતા. એવું કહેવાય છે કે આ લોકોએ આતંકવાદી હુમલા પહેલા, આ આતંકવાદીઓને સંપૂર્ણ યોજના સાથે શરણ આપી હતી. આ હુમલો ધાર્મિક આધાર પર પ્રવાસીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જેના કારણે આ હુમલો વધુ નિર્મમ અને દુખદ માનવામાં આવી રહ્યો છે.
જોકે પહેલગામ હુમલાના મુખ્ય ચાર આરોપીની ધરપકડ કરવા કે તેમને મારી નાખવામાં વિલંબ મામલે કેટલાય પ્રશ્નો પેદા થઈ રહ્યા છે.એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા લોકોના નામ – પરવેજ અહમદ જોઠર(બાટકોટ) અને બશીર અહમદ જોઠર(હિલપાર્ક) છે. આ બંને પહેલગામ ક્ષેત્રના રહેવાસી છે. એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંનેએ ત્રણ હથિયારધારી આતંકવાદીઓને હુમલો કરવા પહેલા પોતાના વિસ્તારમાં એક અસ્થાયી ઝુંપડીમાં રહેવા અને ખાવાની સાથે જરુરી સામાન ઉપલબ્ધ કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલ ૨૦૨૫એ થયેલા ભીષણ આતંકવાદી હુમલાને બે મહિના થઈ ચુક્યા છે, પરંતુ ૨૬ નિર્દાેષ પ્રવાસીઓની હત્યા કરનાર ચારેય આતંકવાદી હજુ સુધી ફરાર છે. પહેલગામ હુમલાને લીધે આખા દેશમાં શોક પ્રસરી ગયો હતો અને ત્યાર પછી ભારતે વળતા જવાબના ભાગરુપે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પોને નષ્ટ કરી દીધા હતા.ss1