મિહિર અને તુલસી વચ્ચે હવે મેચ્યોર પ્રેમ જોવા મળશે

અમર ઉપાધ્યાયે આ શો વિશે વાત કરી
આ ઇન્ટરવ્યુમાં અમર ઉપાધ્યાયે કબૂલ્યું કે તેને આશા નહોતી કે, હાલના ઓડિયન્સને આ શોમાં કોઈ રસ પડશે
મુંબઈ,ફરી એક વખત સતર વર્ષ પછી દર્શકોને મિહિર અને તુલસીની જોડી જોવા મળશે. ફરી એક વખત ‘ક્યુંકી સાંસ ભી કભી બહુ થી’ નવા રંગરૂપ સાથે શરૂ થવાનું છે, જેમાં ‘ધ ઓજી’ કપલ ગણાતાં સ્મૃતિ ઇરાની અને અમર ઉપાધ્યાય ફરીથી જોવા મળશે. ત્યારે અમર ઉપાધ્યાયે તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં આ રોલ અંગે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે એ જ પાત્રને ફરીથી જીવંત કરવામાં એક અલગ પ્રકારનું પ્રેશર અનુભવાય છે.આ ઇન્ટરવ્યુમાં અમર ઉપાધ્યાયે કબૂલ્યું કે તેને આશા નહોતી કે, હાલના ઓડિયન્સને આ શોમાં કોઈ રસ પડશે, કારણ કે હવે તેમની પાસે જોવા માટે ઘણું કન્ટેન્ટ છે.
જોકે, તેને એ જાણીને ઘણું આશ્ચર્ય થયું કે આજે પણ લગભગ બધી જ જનરેશનના લોકોને આ શો માટે ઉત્સુકતા છે.અમર ઉપાધ્યાયે આ શો વિશે વાત કરતા જણાવ્યું, “હવેની સ્ટોરીમાં દરેક પાત્ર કઈ રીતે બતાવ્યું છે, તેની પાછળ યોગ્ય તર્ક આપવામાં આવ્યું છે અને તેમના સંબંધોમાં શું પરિવર્તન આવ્યા છે એ પણ દર્શાવાયું છે. હવે મિહિર અને તુલસી વચ્ચેનો પ્રેમ પણ મેચ્યોર થઈ ગયો છે. અમે વ્યક્તિ તરીકે અને કલાકાર તરીકે ઘણા આગળ વધી ગયાં છીએ, એ જ બાબત શોમાં પણ જોવા મળશે.”ss1