અક્ષય ખન્નાની ‘અક્ષરધામઃ ઓપરેશન વજ્ર શક્તિ’ ૪ જુલાઈએ રિલીઝ થશે

આ ફિલ્મ ૨૦૦૨ના અક્ષરધામ હુમલા પર બની છે
આ ફિલ્મ ૨૦૨૧માં બની હતી અને ઓટીટી પર ‘સ્ટેટ ઓફ સેઇજઃ ટેમ્પલ એટેક’ નામથી સ્ટ્રીમ થતી હતી
મુંબઈ,અક્ષરધામ હુમલાની ઘટના સમગ્ર ગુજરાત અને દેશ માટે એક મહત્વની અને યાદગાર ઘટના છે. આ જ ઘટના પર બનેલી અક્ષય ખન્નાની ફિલ્મ બન્યાના પાંચ વર્ષ પછી હવે થિએટરમાં રિલીઝ થઈ રહી છે. અક્ષય ખન્નાની આ ફિલ્મ ૨૦૨૧માં બની હતી, જ્યાં તે ‘સ્ટેટ ઓફ સેઈજઃટેમ્પલ એટેક’ના નામે ઓટીટી પર મુકવામાં આવી હતી. હવે આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ફિલ્મ ૪ જુલાઈએ થિએટરમાં ‘અક્ષરધામઃ ઓપરેશન વજ્ર શક્તિ’ના નામે રિલીઝ કરવામાં આવશે.
કેન ઘોષે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ૨૦૦૨ના અક્ષરધામ હુમલા પર બની છે. તેમાં આતંકી હુમલો અને નેશનલ સિક્યોરિયા ગાર્ડની બહાદુરી, જેમણે આ હુમલાખોરોનો ખાતમો બોલાવ્યો હતો, તેની પણ વાત કરવામાં આવી છે. આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓ પર આધારીત છે. જેમાં દેશભક્તિ, તણાવ અને એક્શન પણ છે. આ ફિલ્મ નવા નામ સાથે રિલીઝ થઈ રહી છે, ત્યારે ફિલ્મની ટીમ દ્વારા ઇન્સ્ટાગ્રમ પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં કમાન્ડોનો પડછાયો દેખાય છે અને મંદિરના સ્તંભ દેખાય છે.
તેની કૅપ્શનમાં લખ્યું હતું, ‘આતંકવાદી કૃત્ય જેનો સામનો અમાપ બહાદુરી સામે થયો, બહાદુરી, બલિદાન અવે ટકી રહાની કથા જીવંત થાય છે, અક્ષરધામ ઓપરેશન વજ્ર શક્તિમાં’.અક્ષય ખન્ના આ ફિલ્મમાં લીડ રોલમાં છે, જે મેજર હનુટ સિંઘ, એક એનએસજી ઓફિસરના રોલમાં છે. તે ઉપરાંત આ ફિલ્મમાં મનોજ સમર, વિવેક દહિયા, અક્ષય ઓબેરોય, અભિલાષ ચૌધરી, પ્રવીણ ડબ્બાસ, સમીર સોની, અભિમન્યુ સિંઘ, મિર સરવર, મંજરી ફડનિસ, ચંદન રોય અને શિવમ ભાર્ગવ સહિતના કલાકારો છે.ss1