કમલ હસનની ‘ઠગ લાઇફ’ને સુપ્રીમની મંજૂરી છતાં ડિસ્ટ્રીબ્યુટરનો ઇનકાર

ડિસ્ટ્રીબ્યુટર્સ માને છે કે, કર્ણાટકમાં આ ફિલ્મ ધંધો નહીં કરી શકે
કમલ હસનના કન્નાડા ભાષા પરના વિવાદાસ્પદ નિવેદન પછી મણિ રત્નમની ફિલ્મનો કર્ણાટકમાં વિરોધ થયો હતો
મુંબઈ, સુપ્રીમ કોર્ટે તો કમલ હસનની ફિલ્મ ‘ઠગ લાઇફ’ કર્ણાટકમાં રિલીઝ કરવાની મંજૂરી મળી ગઈ છે. પરંતુ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સને આ ફિલ્મ ચલાવવામાં કોઈ રસ નથી. તેઓ માને છે કે સમગ્ર દેશમાં આ ફિલ્મ બે અઠવાડિયાં પહેલાં જ રિલીઝ થઈ ચુકી છે તો હવે આ ફિલ્મ કર્ણાટકમાં રિલીઝ કરવાનો કોઈ અર્થ નથી.કમલ હસનના કન્નાડા ભાષા પરના વિવાદાસ્પદ નિવેદન પછી મણિ રત્નમની ફિલ્મનો કર્ણાટકમાં વિરોધ થયો હતો. ત્યાર પછી કમલ હસન વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી.
ડિસ્ટ્રિબ્યુટર વેંકટેશ કમલાકરે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નિવેદન આપ્યું હતું. કમલાકરે કહ્યું હતું કે હવે આ ફિલ્મ રિલીઝ કરવાનો કોઈ અર્થ નથી અને કન્નડા લોકોની લાગણી દુભાયા પછી આ ફિલ્મ જોવામાં તેમને કોઈ રસ પણ નથી. કમલાકરે કહ્યું, “મોટા ભાગે તો અમારા ઇનકારનું કારણ એ છે કે બિઝનેસની દૃષ્ટિએ પણ આ નિર્ણય યોગ્ય નથી. અહીં કર્ણાટકમાં એની આગળની ફિલ્મ ઇન્ડિયન ૨ પણ ખાસ ચાલી નહોતી.” આગળ તેમણે જણાવ્યું કે ૨૦૨૨માં કમલ હસનની વિક્રમ સારી ચાલી હતી. પરંતુ કર્ણાટકમાં એમનો એવો કોઈ મોટો પ્રસંશક વર્ગ નથી, કે કોઈ પણ ભોગે તેઓ આ ફિલ્મ જોશે જ.
“જ્યારે તેમની ફિલ્મની વાત આવે છે, તો સફળતા ફિલ્મ કેટલી સારી છે, તેના પર જ રહેલો છે. ઠગ લાઇફ ઘણા લોકોને બહુ ખાસ ગમી નથી. તો આ ફિલમ રિલીઝ કરવી હવે જોખમી છે.”ઇન્ડસ્ટ્રીના સુત્રોના જણાવ્યા અનુસાર ડિસ્ટ્રીબ્યુટર્સે ફિલ્મની ટીમને એડવાન્સમાં ૯ કરોડ આપ્યા હતા. કમલાકર એ વાતે સહમત થયા કે તેમણે એડવાન્સમાં પૈસા ચુકવ્યા છે, પરંતુ તે પાછા લેવામાં તેમને કોઈ મુશ્કેલી પડશે એવું એમને લાગતું નથી. “આ અમારો વાંક નથી. જે રીતે બધું થયું, એમાં હવે અમારો કોઈ ફાયદો નથી, તેથી કોઈ થિએટર માલિકો ફિલ્મ બતાવવા સહમત થાય.”ss1