વિચારધારાની ટકરાવ વચ્ચે શું સાચું અને શું ખોટું એ નિર્ધારિત કરવું કેટલું મુશ્કેલ છે: ‘વિશ્વગુરુ’ પહેલી ઓગસ્ટ થશે રીલીઝ

ગુજરાતી સિનેમા જગતમાં એક નવું અધ્યાય જોડાતું જોઈ શકે છે, કેમ કે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ હવે 1 ઓગસ્ટ , 2025 ના રોજ સમગ્ર ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મ ‘વિશ્વગુરૂ’નું નિર્દેશન શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર એ કર્યું છે જ્યારે ફિલ્મના નિર્માતા છે સતીશ પટેલ (સુક્રિત પ્રોડક્શન ) અને લેખનનું કાર્ય કિર્તિ ભાઈ તથા અતુલ સોનીએ સંભાળ્યું છે. ફિલ્મ માં મેહુલ સુરતી એ મ્યુઝિક આપ્યું છે. ફિલ્મના એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર છે કશ્યપ કપટા .
વિશ્વગુરુ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન અને મૂલ્યોને આધુનિક રીતે રજૂ કરતી એક દૃઢ દૃષ્ટિ છે. ફિલ્મના સંગીત, સિનેમેટોગ્રાફી અને સંપાદન જેવા ટેક્નિકલ પાસાઓ પર વિશેષ ધ્યાન અપાયું છે જેથી દર્શકોને એક શ્રેષ્ઠ અનુભવ મળી શકે.
આ ફિલ્મને રુપમ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા રાષ્ટ્રીય સ્તરે વિતરણ અપાશે, જેનાથી ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતમાં પ્રેક્ષકો સુધી ફિલ્મ પહોંચી શકશે. વિશ્વગુરુ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક મહત્વની ઝાંખી બની રહેશે એવી સમગ્ર ટીમને આશા છે.
“વિશ્વગુરુ” એવી કહાની છે જ્યાં દરેક પાત્ર પોતાના રીતે સાચું છે. વિચારધારાની ટકરાવ વચ્ચે શું સાચું અને શું ખોટું એ નિર્ધારિત કરવું કેટલું મુશ્કેલ છે – તે ફિલ્મનું કેન્દ્રબિંદુ છે. સમાજ, રાજકારણ અને વ્યક્તિગત મક્કમતાઓ વચ્ચેના ઘર્ષણને દર્શાવતી આ ફિલ્મ તમારી અંદર પ્રશ્નો ઊભા કરશે.