રશિયાએ યુક્રેન પર બોમ્બ વરસાવ્યા, ડ્રોન, મિસાઈલ એટેકમાં ૧૦ લોકોનાં મોત

રશિયાએ હોસ્પિટલ્સ, રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કર્યા
યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે રશિયાએ ૩૫૨ ડ્રોન અને ડેકોય, તેમજ ૧૧ બેલિસ્ટિક મિસાઇલો અને પાંચ ક્›ઝ મિસાઇલો છોડી હતી
કિવ,ઈરાન-ઈઝરાયેલના ભીષણ યુદ્ધ વચ્ચે રશિયા પણ યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે. રશિયાએ બોમ્બ વરસાવતા યુક્રેનમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. રશિયાએ યુક્રેન પર ડ્રોન-મિસાઈલથી એટેક કરતા એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ધરાશાયી થયી હતી. જેમાં ઘણા લોકો દબાયા હોવાથી ઇમરજન્સી ટીમો રેસ્ક્યુ માટે દોડી ગઈ હતી.
આ હુમલામાં સૌથી વધુ કિવમાં સાત લોકોના મોત થયા હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે રશિયાએ ૩૫૨ ડ્રોન અને ડેકોય, તેમજ ૧૧ બેલિસ્ટિક મિસાઇલો અને પાંચ ક્›ઝ મિસાઇલો છોડી હતી.
જેના જવાબમાં હવાઈ સંરક્ષણ દળોએ ૩૩૯ ડ્રોન અને ૧૫ મિસાઇલોને ટાર્ગેટ સુધી પહોંચે તે પહેલાં જ અટકાવી દીધી હતી.ઇમરજન્સી સર્વિસિસે જણાવ્યું હતું કે, કિવના અનેક રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો અને રમતગમતના માળખા પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો થયો હતો. સૌથી વધુ નુકસાન શેવચેન્કિવસ્કી જિલ્લામાં થયું હતું, જ્યાં પાંચ માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો.આ હુમલો ગત મંગળવારે યુક્રેન પર રશિયાના હુમલાના લગભગ એક અઠવાડિયા પછી થયો છે.
એક અઠવાડિયા પહેલા કરવામાં આવેલા રશિયન હુમલામાં કિવમાં ૨૮ લોકો માર્યા ગયા હતા, જેમાંથી ૨૩ લોકો મિસાઇલ હુમલા પછી ધરાશાયી થયેલી રહેણાંક ઇમારતમાં માર્યા ગયા હતા. યુક્રેનિયન રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ આ હુમલાને યુદ્ધના સૌથી મોટા બોમ્બ વિસ્ફોટોમાંનો એક ગણાવ્યો હતો.ઝેલેન્સ્કીએ હુમલામાં ઈરાન, ઉત્તર કોરિયાની ભૂમિકાની નોંધ લેતા જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી દર્શાવે છે કે રશિયન દળોએ કિવ હુમલામાં ઉત્તર કોરિયાના મિસાઇલોનો ઉપયોગ કર્યાે હતો. તેમણે રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાનને “હત્યારાઓનું ગઠબંધન” ગણાવ્યું, જેમણે રશિયાને ડ્રોન પૂરા પાડ્યા છે.ss1