એર ઈન્ડિયાની બે, ઈન્ડિગોની એક ફ્લાઇટમાં ખામી સર્જાઈ

પ્રતિકાત્મક
AIની લંડન-મુંબઈ ફ્લાઇટમાં મુસાફરો બીમાર પડ્યા
૧૪૦ મુસાફરોને લઈ જઈ રહેલી એર ઈન્ડિયાની જયપુર-દુબઇ ફ્લાઇટના કોકપિટમાં ખામી
નવી દિલ્હી,દેશની એરલાઈન્સની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી પેદા થવાનો અને ફ્લાઇટ રદ થવાનો ક્રમ યથાવત છે. સોમવારે એર ઈન્ડિયા એક્સપ્રેસની બે ફ્લાઇટ અને ઈન્ડિગોની એક ફ્લાઇટમાં ખામી સર્જાઈ હતી. જ્યારે, રવિવારે એર ઈન્ડિયાની ફ્લાઇટ સાથે પક્ષી ટકરાવાને લીધે નેકસ્ટ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. સોમવારે એર ઈન્ડિયા એક્સપ્રેસની જયપુરથી દુબઈની ફ્લાઇટમાં ટેક ઓફ પહેલા કોકપિટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. એમાં ૧૩૦ મુસાફરો હતા.
ત્યાર પછી દુબઈની આ ફ્લાઇટને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-જમ્મુ-શ્રીનગર ફ્લાઇટે જમ્મુ એરપોર્ટ પર લેન્ડ કર્યા પછી દિલ્હી પરત ફરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ફ્લાઇટ નંબર આઈએક્સ-૨૫૬૪એ શ્રીનગરથી પહેલા જમ્મુ ઉતરવાનું હતું. હવામાન અને રનવે ખુલ્લો હતો, પરંતુ પાયલટને ઉચિત લેન્ડિંગ પોઈન્ટ મળ્યો નહીં. સોમવારે ઈન્દોર-ભુવનેશ્વરની ફ્લાઇટ ૬એ ૬૩૩૨(એરબસ એ૩૨૦ નિયો વિમાન)માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ફ્લાઇટમાં ૮૦ મુસાફરો હતા.
જોકે, ખામી સુધાર્યા પછી વિમાનને ઈન્દોરથી ભુવનેશ્વર માટે રવાના કરાયું હતું. લંડનથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર પાંચ મુસાફરો અને બે ક્‰ સભ્યો બીમાર પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું કે સાતમાંથી બે મુસાફરો અને બે કેબિન ક્‰ની તબિયત વધુ ખરાબ હોવાથી તપાસ માટે મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા અને પછી તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. ss1