જામીન પછી નાણાં ભરવામાં ગલ્લાં-તલ્લાં કરનારા આરોપીને રાહત નહીંઃ સુપ્રીમ

હાઈકોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હતા
જીએસટી કૌભાંડના આરોપીએ જામીન પર બહાર આવ્યા પછી રૂપિયા બે કરોડ જમા કરાવવાના બદલે રાહત માગતા સુપ્રીમ કોર્ટ નારાજ
નવી દિલ્હી,જામીન પર છૂટવા માટે કોર્ટમાં જંગી રકમ જમા કરાવવા સંમત થનારા આરોપીઓ બહાર આવ્યા પછી અલગ જ રંગ બતાવે છે. કોર્ટ સમક્ષ સામે ચાલીને સ્વીકારેલી રકમ જમા કરાવવાના બદલે તેમાં રાહત મેળવવા કાનૂની આંટીઘૂંટીનો ગેરલાભ ઊઠાવતા આરોપીઓ સામે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, બંધારણની કલમ ૨૧ મુજબ વ્યક્તિને મળેલા અધિકારો બાબતે કોર્ટ સભાન છે, પરંતુ વ્યક્તિએ પણ ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતા બાબતે સભાન રહેવું જોઈએ.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે વી વિશ્વનાથ અને એન કોટિશ્વર સિંગની બેન્ચે ઠરાવ્યું હતું કે, જામીનમાં વધારે પડતી રાહતથી જામીનનો અર્થ રહેતો નથી અને જામીન મંજૂર થઈ ગયા પછી શરતોનું પાલન કરવામાં અમસર્થતા વ્યક્ત કરવી જોઈએ નહીં. વ્યક્તિની અસમર્થતાનો આધાર કેસની હકીકતો અને સંજોગો પર રહેલો છે. મદ્રાસ હાઈકોર્ટના હુકમને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત અવલોકન નોંધ્યા હતા. કેસની વિગતો મુજબ, વર્ષ સેન્ટ્રલ જીએસટી એક્ટ ૨૦૧૭ અંતર્ગત અરજદાર સામે ૧૩.૭૩ કરોડની કરચોરીનો આરોપ લાગ્યો હતો.
આ કેસમાં આરોપીની ૨૭ માર્ચે ધરપકડ થઈ હતી અને તેણે મદ્રાસ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. હાઈકોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન ૮ મેના રોજ અરજદાર આરોપી તરફથી રજૂઆત થઈ હતી કે, તેણે ૨.૮૬ કરોડ જમા કરાવી દીધા છે અને દરેક આકરી શરતનું પાલન કરવા તૈયાર છે. જામીન પર છૂટ્યા પછી ૧૦ દિવસમાં વધુ ૨.૫૦ કરોડ જમા કરાવવા આરોપી સંમત છે. હાઈકોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હતા, જેમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ ૫૦ લાખ જમા કરાવવા અને જામીન પર મુક્ત થયાના ૧૦ દિવસમાં શ્૨ કરોડ જમા કરાવવા નિર્દેશ અપાયા હતા. જામીન પર બહાર આવ્યા પછી આરોપીએ શ્ બે કરોડ જમા કરાવવામાં અમસર્થતા વ્યક્ત કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.ss1