Western Times News

Gujarati News

રાજકોટમાં ક્રિકેટ રમી પરત ફરેલા બેંક કર્મચારીનું હાર્ટ એટેકથી નિધન

પ્રતિકાત્મક

હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાનો સિલસિલો યથાવત

રાજકોટ શહેરના જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા ૪૫ વર્ષીય બેંક કર્મચારી રાત્રે ક્રિકેટ રમીને આવ્યા બાદ સવારે જાગ્યા ન હતા

રાજકોટ,હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા ૪૫ વર્ષીય બેંક કર્મચારી વિજયભાઈ બાબુભાઈ નારોલાનું રાત્રે ક્રિકેટ રમીને આવ્યા બાદ ઊંઘમાં જ નિધન થયું હતું. તેઓ સવારે જાગ્યા ન હતા. આ ઉપરાંત, બીજા એક બનાવમાં ચોટીલાના ૨૦ વર્ષીય યુવાન રોહિતભાઈ અતુલભાઈ પરમારનું પણ હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું હતું. જામનગર રોડ, પરસાણાનગર-૧૭ માં રહેતા વિજયભાઈ બાબુભાઈ નારોલા (ઉંમર ૪૫) રવિવારે વહેલી સવારે ઘરે બેભાન થઈ જતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જોકે, તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. બેંકમાં નોકરી કરતા હતા. રાત્રે ક્રિકેટ રમીને આવ્યા હતા.બીજી ઘટનામાં, ચોટીલામાં ખીમોઈ હોટલ પાસે યોગીનગરમાં રહેતા ૨૦ વર્ષીય રોહિતભાઈ અતુલભાઈ પરમારને ઘરે શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતા તેમને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ ત્યાં તેમનું મૃત્યુ થયું. તેમને પણ હૃદયરોગનો હુમલો આવ્યાનું જણાવાયું હતું. ચોટીલા પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.