અભિષેક બચ્ચનની ‘કાલીધર લાપતા’નું ટ્રેલર લોંચ થયું

ફિલ્મમાં બીજી તક અને અનઅપેક્ષિત મિત્રોની વાત કરવામાં આવશે
આ ફિલ્મનું ટ્રેલર શનિવારે લોંચ થયું છે, જેના પરથી અંદાજ આવે છે કે આ એક ડ્રામા અને કોમેડી ફિલ્મ છે
મુંબઈ,તાજેતરમાં અભિષેક બચ્ચને ગાયબ થઈ જવા પર એક સોશિયલ મીડિયા પોસ્ટ મુકી હતી, તેના પર ઘણી ચર્ચાઓ અને ધારણાઓ કરીને એ પોસ્ટ વાયરલ થઈ હતી. હવે શનિવારે તેની આગામી ફિલ્મ ‘કાલિધર લાપતા’નું ટ્રેલર શેર કરવામાં આવ્યું છે અને તેનાથી અભિષેકની પોસ્ટ બાબતે પણ સોશિયલ મીડિયા યૂઝર્સને જવાબ મળી ગયો છે. અભિષેક બચ્ચનનું ૨૦૨૫નું વર્ષ ઘણું વ્યસ્ત અને સફળ માનવામાં આવી રહ્યું છે. તેની બે ફિલ્મ – ‘આઈ વોન્ટ ટુ ટોક’ અને ‘બી હેપ્પી’ ઓટીટી પર આવી ચુકી છે અને મોટા પડદે તેની ‘હાઉસફુલ ૫’ પણ રિલીઝ થઈ ચુકી છે.
Kabhi kabhi life mein second chances lene padte hai, and that’s when the most unexpected experiences and bonds are born.
A soul-stirring slice-of-life awaits.Kaalidhar Laapata premieres 4th July, only on #ZEE5. Trailer out now.#KaalidharLaapataOnZEE5@Mdzeeshanayyub… pic.twitter.com/7OocqkbSQU
— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) June 21, 2025
હવે તેની વધુ એક ફિલ્મ ‘કાલીધર લાપતા’ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે.આ ફિલ્મનું ટ્રેલર શનિવરે લોંચ થયું છે, જેના પરથી અંદાજ આવે છે કે આ એક ડ્રામા અને કોમેડી ફિલ્મ છે, જેમાં ગુમાવવાની ભાવના, હાસ્ય અને મિત્રતાની અનઅપેક્ષિત ખુશીની વાત કરે છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં છે, તેની સાથે ઝીશાન અયુબ અને દૈવિક ભગેલા પણ મહત્વના રોલમાં છે. ઝી૫ના સોશિયલ મીડિયા પેજ પર આ ફિલ્મનું ટ્રેલર શનિવારે શેર કરવામાં આવ્યું છે, તેની કૅપ્શનમાં લખાયું છે, ‘કભી કભી લાઈફ મેં સેકન્ડ ચાન્સ લેને પડતે હૈ, અને ત્યારે જ જીવનમાં સૌથી અનઅપેક્ષિત અનુભવ અને સંબંધ જન્મે છે.
આત્માને સ્પર્ષી જતી એક જીવનથી ભરપુર ફિલ્મ આવી રહી છે.કાલીધર લાપતા ૪ જુલાઈએ ઝી૫ પર આવશે.’કાલીધરમાં એક મધ્યમ ઉમરના વ્યક્તિની વાત છે, જેને ભુલી જવાની બીમારી છે, તે તરછોડાયેલો છે અને તેના મન પર જીવનભરના ઘાવ પડેલાં છે. કાલીધર પોતાના ભાઈની તેને મહાકુંભમાં લઇ જઇને ગાયબ કરી દેવાની યોજના સાંભળે છે, ત્યારે પોતાની ઇચ્છાથી ગાયબ થઇ જવાનું નક્કી કરે છે. નસીબજોગે તે બલ્લુને મળે છે, એક બુદ્ધિશાળી, આત્મનિર્ભર ૮ વર્ષનો છોકરો, જે ભારતની વ્યસ્ત ગલીઓમાં એકલો જ જીવી રહ્યો છે. અચાનક મળી ગયેલાં આ છોકરા સાથે તેનો જીવનભરનો નાતો બંધાઈ જાય છે.
અભિષેક બચ્ચને આ ફિલ્મના પાત્ર વિશે કહ્યું, “કલાકાર તરીકે આપણે ઘણી વખત એવી વાર્તાની આશા રાખીએ છીએ કે જે બીજા કોઈને સ્પર્ષે એ પહેલાં આપણને હલાવી નાખે.કાલીધર લાપતાએ એવું જ કર્યું. કાલીધર ભજવવું એ માત્ર રોલ નહોતો, મારા માટે આંખ ખુલવા સમાન હતું. એ નાજુક છે, બાળક જેવો અને એક ઊંડી લાગણીથી ભરેલો માણસ. તેના મારફતે મને મારા સ્વભાવની ઘણી બાબતો જાણવા મળી, જે ઘણા સમયથી હું ભુલી ગયો હતો. બલ્લુ સાથેનો તેનો સંબંધ, આટલું ધારદાર અને નીડર બાળક- મને શીખવે છે કે તમને જ્યારે બિલકુલ આશા ન હોય એ મૈત્રી તમને સૌથી મજબુત પાઠ ભણાવી જાય છે.
સૌથી વધુ તો આપણે જીવનને કઈ રીતે આંકીએ છીએ એ મને ખબર પડી -વર્ષાેમાં નહીં પણ સંબંધ, હિંમત અને સત્યની ક્ષણોમાં. કાલીધર લાપતા મારા જીવનની એક એવી ફિલ્મ છે, જેના પર મને ગૌરવ છે. છેલ્લાં કેટલાંક વર્ષાેથી હું કાળજીપૂર્વક એવી ફિલ્મ પસંદ કરી રહ્યો છું, જેમાં લાગણીનું ઊંડાણ હોય, ઇમાનદારી હોય અને કશુંક અર્થપૂર્ણ કહેતી હોય. આ ફિલ્મ આ બધાં જ ખાનામાં બંધ બેસે છે. આ એવી વાર્તા છે, જે મારા આત્માને સ્પર્ષી ગઈ અને તમને પણ સ્પર્ષી જશે.”ss1