લતા સબરવાલ અને સંજીવ સેઠ ૧૬ વર્ષે અલગ થયાં

‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ ફેમ કપલ
સિરીયલમાં લતા અને સંજીવ અક્ષરાના એટલે કે હિના ખાનના માતા-પિતાના રોલમાં જોવા મળતાં હતાં
મુંબઈ,ટીવી સિરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી ઘર ઘરમાં જાણીતાં થયેલાં કલાકાર દંપતિ લતા સબરવાલ અને સંજીવ સેઠ ૧૬ વર્ષ લાંબા લગ્ન જીવન પછી હવે અલગ થઈ ગયાં છે. લતાએ ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર પોતાના ફોલોવર્સને જણાવ્યા હતા. લતાએ ઇન્સ્ટાગ્રામ પર સંજીવ સેઠથી અલગ થયાના સમાચાર આપતાં લખ્યું, “એક અતિ લાંબા મૌન પછી..હું લતા સબરવાલ એ જાહેર કરું છું કે હું મારા પતિ સંજીવ સેઠથી અલગ થઈ ગઈ છું. મને એક વ્હાલો દિકરો આપવા માટે હું એમની આભારી છું. હું એમનાં ભવિષ્યના જીવન માટે શુભેચ્છાઓ આપું છું.
હું દરેકને વિનંતિ કરું છું કે મારા અને મારા પરિવારના આ સમયને માન આપો અને આ અંગે પૂછવા માટે કોઈ કોલ કે મેસેજ કરશો નહીં. આભાર. ”સિરીયલમાં લતા અને સંજીવ અક્ષરાના એટલે કે હિના ખાનના માતા-પિતાના રોલમાં જોવા મળતાં હતાં. આ ટીવીના સૌથી લાંબા ચાલેલાં શોમાંનો એક હતો. તેઓ શોના સેટ પર જ મળ્યાં હતાં અને ૨૦૦૯માં લગ્ન કર્યાં હતાં. તેમને આરવ નામનો એક દિકરો પણ છે.
લતા પહેલાં સંજીવે રેશમ ટિપનિસ સાથે ૧૯૯૩માં લગ્ન કર્યાં હતાં. તેઓ ૨૦૦૪માં અલગ થયાં હતાં, તેમની રિશિકા નામની દિકરી અને માનવ નામનો દિકરો છે. લતા અને સંજીવે ૨૦૧૩માં નચ બલિયે ૬ શોમાં પણ ભાગ લીધો હતો. લતા આ સિરીયલ સિવાય કેટલીક ફિલ્મમાં પણ યાદગાર રોલમાં જોવા મળી છે, જેમ કે ‘વિવાહ’ ફિલ્મમાં તેનો ભાવનાનો રોલ ઘણો જાણીતો છે. ૨૦૨૧માં તેણે ટીવીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી કારણ કે તે ડિજીટલ પ્લેટફર્મ પર ધ્યાન આપવા માગતી હતી. જ્યારે સંજીવ કેટલીક સિરીયલ ઉપરાંત પહેલી વખત ‘મહારાજ’ સિરીયલમાં જોવા મળ્યા હતા. હવે તેઓ અજય દેવગન સાથે ‘દે દે પ્યાર દે ૨’માં જોવા મળશે.ss1