Western Times News

Gujarati News

બસ અલકનંદા નદીમાં ખાબકતા સુરતની ૧૭ વર્ષની દીકરીનું મોત 

આ મિની બસમાં કુલ ૨૦ મુસાફરો સવાર હતા જેમાંથી ૨ લોકોના મોત થયા છે જેમાં એક મૃતક ગુજરાતની છે

(એજન્સી)અલકનંદા, ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ધોલતીર વિસ્તારમાં એક મુસાફરોથી ખીચોખીચ બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્્યૂ ટીમ રવાના થઇ હતી. આ એક ટેમ્પો ટ્રાવેલર મિની બસ હતી. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરો સામેલ હોવાની જાણકારી મળી છે.

આ મિની બસમાં કુલ ૨૦ મુસાફરો સવાર હતા જેમાંથી ૨ લોકોના મોત થયા છે જેમાં એક મૃતક ગુજરાતની છે જેનું નામ ડ્રીમી સોની જણાવાયું છે. જ્યારે હજુ ૮ લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોમાં ત્રણ ગુજરાતીઓ સામેલ છે. માહિતી અનુસાર ૧૦ લોકોની કોઈ હજુ કોઈ ભાળ મળી નથી જેમાં બે ગુજરાતી સામેલ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માત ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે પર થયો હતો. આ ટ્રાવેલ્સમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના ૨૦ લોકો સવાર હતા, જેઓ ઉત્તરાખંડ ફરવા ગયા હતા. જેમાંથી ૩ના મોત થયા છે. આ બસમાં સુરતના સિલિકોન પેલેસમાં રહેતા ઈશ્વર સોની, ભાવના સોની, ડ્રીમી સોની, ભવ્ય સોની અને ચેષ્ટા સોની પણ હતા.

સુરતના પર્વત પાટિયા ખાતે રહેતા પરિવારને ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ ખાતે અકસ્માત નડતા તેમના ઉપર આભ તૂટી પડ્યું. સિલિકોન પેલેસમાં રહેતા ઇશ્વરભાઇ સોની જે વિધાતા જ્વેલર્સ સાથે સંકળાયેલા છે. ઉત્તરાખંડ ખાતે તેઓ રુદ્રપ્રયાગ સહિતના ધાર્મિક સ્થળે યાત્રા કરવા માટે નીકળ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત બદ્રીનાથ હાઈવે પર થયો છે. જ્યાં ઘોલતીર પાસે એક બસ બેકાબૂ થઈને અલકનંદા નદીમાં ખાબકી. અકસ્માત સમયે બસ પહાડ પરથી ગગડતી ગગડતી સીધી અલકનંદા નદીમાં પડી. પહાડો પર ખરાબ હવામાન અને વરસાદના કારણે નદીનો પ્રવાહ ખુબ તેજ હતો.

ઘટનાની સૂચના મળતા જ એસડીઆરએફની ટીમ રેસ્ક્્યૂ ઓપરેશન માટે પહોંચી ગઈ છે. સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરાયું હતું. નદીના તેજ પ્રવાહના કારણે રેસ્ક્્યૂ ઓપરેશનમાં પણ સમસ્યા આવી હતી.

ઘટના અંગે જાણકારી આપતા ઉત્તરાખંડ પોલીસ હેડક્વાર્ટરના પ્રવક્તા આઈજી નીલેશ આનંદ ભરણેએ કહ્યું કે રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલતીર વિસ્તારમાં એક બસ બેકાબૂ થઈને અલકનંદા નદીમાં પડી છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ બસમાં ૧૮ લોકો હતા. રેસ્ક્્યૂ ઓપરેશન ચાલુ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.