Western Times News

Gujarati News

UPL, વન વિભાગ અને સમુદાયના સંયુક્ત પ્રયાસોના પગલે સારસ ક્રેનની વસ્તી 2015-16માં 500 હતી તે નોંધપાત્ર વધીને 2025-26માં 1,477 થઈ છે

UPL દસમી વાર્ષિક સારસ ક્રેન ગણતરી સાથે જૈવવિવિધતાના સંરક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખે છે

ગુજરાત, 26 જૂન, 2025 – ઉનાળાની ઋતુમાં વર્ષના સૌથી લાંબા દિવસે યોગાનુયોગે યુપીએલે 21 જૂન, 2025ના રોજ દસમી વાર્ષિક સારસ ક્રેન ગણતરી હાથ ધરવામા આવી હતી. આ ઉનાળા દરમિયાનના સૌથી લાંબા દિવસના સમયગાળામાં મોટાભાગના જળપ્લાવિત વિસ્તારો (વેટલેન્ડ્સ) અને ભેજવાળી જમીન સૂકાઈ જાય છે ત્યારે

જેના લીધે સારસ ક્રેનનો વિશાળ સમૂહ બારેય મહિના પાણી ભરાઈ રહેતું હોય તેવા વિસ્તારો આસપાસ એકત્રિત થાય છે જે વસ્તીનું ચોક્કસ મૂલ્યાંકન કરવાની અનોખી તક પૂરી પાડે છે. વર્ષ 2025-26ની ગણતરીમાં કુલ 1,477 સારસ ક્રેન નોંધાયા હતા જે 2015-16ના મૂળ વર્ષથી 195 ટકાનો વધારો દર્શાવે છે. આ નોંધપાત્ર વધારો ટકાઉ સંવર્ધન પ્રયાસોની સફળતા દર્શાવે છે અને સતત નિવાસસ્થાનની સુરક્ષા તથા સામુદાયિક જોડાણ – લોકભાગીદારી નું મહત્વ રજૂ કરે છે.

વિશ્વમાં સૌથી લાંબો પક્ષી જે ઉડવાની ક્ષમતા રાખે છે એવો ભારતીય સારસ ક્રેન ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન) રેડ લિસ્ટ હેઠળ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે. પરંપરાગત રીતે જળપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતા આ સારસ ક્રેને માનવ સાથે સહઅસ્તિત્વ અપનાવી લીધું છે અને ખોરાક તથા પ્રજનન માટે ખેતરો પર વધુને વધુ નભતા થયા છે.

જોકે જળપ્લાવિત વિસ્તારોના રહેવાસોના નુકસાન અને ડિગ્રેડેશન સારસ ક્રેનની વસ્તીમાં ઘટાડાના મુખ્ય કારણો રહ્યા છે. આના પ્રતિસાદરૂપે યુપીએલે 2015માં સારસ કન્ઝર્વેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો જે પાયાના સ્તરે લોકભાગીદારી પર ધ્યાન આપે છે. યુપીએલ ટીમે શિક્ષણ અને સ્વૈચ્છિક ભાગીદારી દ્વારા ગેરમાન્યતાઓ સુધારવા અને વર્તણૂંકમાં પરિવર્તન લાવવા ખેડૂતો સાથે ઘનિષ્ઠપણે કામ કર્યું છે. આ સહયોગાત્મક મોડલ સારસ ક્રેનના રહેઠાણોની સુરક્ષા કરવામાં અને સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવામાં ચાવીરૂપ રહ્યું છે.

યુપીએલના સીએસઆર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ઋષિ પઠાનિયાએ જણાવ્યું હતું કે “યુપીએલનો સારસ ક્રેન કન્ઝર્વેશન પ્રોગ્રામ જૈવવિવિધતાના સંવર્ધન માટે અમારી કાયમી પ્રતિબદ્ધતા દર્શાવે છે. છેલ્લા એક દાયકામાં લોકભાગીદારી અને વૈજ્ઞાનિક નિરીક્ષણના મૂળમાં રહેલા અમારા સહયોગાત્મક અભિગમે સારસ ક્રેન માટે રહેઠાણ સંવર્ધનમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને સ્થાનિક દેખરેખને પ્રોત્સાહન આપ્યું છે.

ખેડા અને આણંદ જિલ્લાઓએ સારસ ક્રેનના આંકડામાં નોંધપાત્ર વધારો દર્શાવ્યો છે જે ટકાઉ સંવર્ધન પ્રયાસોની સફળતા દર્શાવે છે. આજે ગુજરાત ગર્વભેર સમગ્ર ભારતમાં બીજા ક્રમની સૌથી વધુ વાઇલ્ડ સારસ ક્રેન વસ્તી ધરાવે છે જે અમારા પ્રયાસો અને પ્રગતિના ચાલકબળનું પ્રમાણ છે. નોંધનીય છે કે અમે છેલ્લા 10 વર્ષોમાં તેમના આંકડામાં 195 ટકાનો વધારો જોયો છે. “

આ ગણતરી અંગે યુપીએલ સારસ કન્ઝર્વેશન પ્રોગ્રામના પ્રોગ્રામ મેનેજર ડો. જતિન્દર કૌરે જણાવ્યું હતું કે સારસ ક્રેનની વસ્તી અને નિવાસસ્થાને વધુ સારી રીતે સમજવા માટે અમે દર વર્ષે સારસની વસ્તી ગણતરી હાથ ધરીએ છીએ. આ વર્ષના સર્વેક્ષણમાં સમૂહ (Congregation) ની પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે, જેમાં જળપ્લાવિત વિસ્તારોની તુલનામાં કૃષિ ક્ષેત્રોમાં નોંધપાત્ર રીતે વધુ સંખ્યા જોવા મળી છે જે સંભવતઃ તાજેતરના વરસાદથી રહેઠાણની સ્થિતિમાં ફેરફાર પ્રભાવિત છે.

18 તાલુકાના 199 ગામોમાં 147 પેટા-પુખ્ત વયના લોકો સહિત કુલ 1,477 સારસ ક્રેનનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું. લિંબાસી અને વસ્તાના ખાતે કૃષિ ક્ષેત્રોમાં 153 ક્રેન સાથે સૌથી મોટો સમૂહ (Congregation) નોંધાયો હતો. મુખ્ય વેટલેન્ડ સમૂહોમાં ઓઝરાલ્લા (86 ક્રેન), પેરિએજ (69 ક્રેન) અને ત્રાજ (65 ક્રેન)નો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે ઉનાળાની ઋતુ દરમિયાન ૬ પ્રજનન જોડીઓ માળો બનાવતી જોવા મળી હતી, જેમાં આઠ બચ્ચાં સફળતાપૂર્વક બહાર આવ્યા હતા જે સારસ ક્રેનના પ્રજનન વર્તનમાં સંભવિત પરિવર્તન સૂચવે છે. ઉપરાંત જંબુસરમાં પ્રથમ વખત એક સબએડલ્ટ સાથે સારસ ક્રેનની જોડી નોંધાઈ હતી જે પ્રજાતિના વિસ્તરણ શ્રેણીના પ્રોત્સાહક સંકેત છે. આ સંવેદનશીલ પ્રજાતિના લાંબા ગાળાના અસ્તિત્વ અને વિકાસ માટે સતત દેખરેખ, નિવાસસ્થાન સંરક્ષણ, જોખમો ઘટાડવા અને લોકભાગીદારી મહત્વપૂર્ણ છે.

આ મોટા પાયે ગણતરી એક સહયોગાત્મક પ્રયાસ હતો જેમાં 120 લોકો સક્રિય ભાગીદારી હતી જેમાં 24 ગ્રામીણ સારસ સંરક્ષણ જૂથના સ્વયંસેવકો, 31 યુપીએલ કર્મચારી સ્વયંસેવકો, સામાજિક વનીકરણ વિભાગ, નડિયાદના 8 સ્ટાફ સભ્યો, સ્વૈચ્છિક પ્રકૃતિ સંરક્ષણના 22 સ્વયંસેવકો અને ચાર કોલેજો (ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, વીપી સાયન્સ કોલેજ, વિદ્યા નગર, શ્રી આર કે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદ, એમ એસ યુનિવર્સિટી, વડોદરા), માતર તાલુકાની સરકારી શાળાના 8 શિક્ષકો અને નેચર હેલ્થ ફાઉન્ડેશન, આણંદના 6 સ્વયંસેવકો અને 18 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.

યુપીએલ સારસ કન્ઝર્વેશન પ્રોગ્રામે તેના પ્રભાવશાળી કાર્ય માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે, જેને એસીઈએફ એશિયન લીડર્સ ફોરમ અને એવોર્ડ્સ (2017), ઈન્ડિયા સીએસઆર લીડરશીપ સમિટ (2017), દૈનિક જાગરણ સીએસઆર એવોર્ડ્સ (2019), અને ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ્સ (2023) સહિત અનેક પ્રતિષ્ઠિત મંચો તરફથી પ્રશંસા મળી છે. આ સન્માનો જૈવવિવિધતા સંરક્ષણ અને લોકભાગીદારી દ્વારા પર્યાવરણીય સંભાળમાં પ્રોગ્રામની શ્રેષ્ઠતા પર ભાર મૂકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.