ખાડી પૂરનાં પાણી ઓસરી ગયા બાદ સુરત પાલિકા દ્વારા કરવામાં આવેલ સાફસફાઇની સમીક્ષા કરાઈ

સુરત, સુરતના મેયર દક્ષેશ માવાણી, સમિતિ અધ્યક્ષશ્રી રાજન ભાઈ પટેલ તેમજ અન્ય કોર્પોરેટરશ્રી દ્વારા ખાડી પૂર અસરગ્રસ્ત વિસ્તારો પૈકી ચોર્યાસી ડેરી – પરવત ખાતે આવેલ વિવિધ વિસ્તારો જેવા કે, ગીતા નગર, વિધાતા ટાઉનશીપ, મામાનગર, શાંતિકુંજ સોસાયટી, વાંમબે આવાસ વિગેરે ની મુલાકાત લીધી.
જેમાં ખાડી પૂરનાં પાણી ઓસરી ગયા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ સાફસફાઇ, આરોગ્ય લક્ષી કામગીરી તેમજ ઈજનેરી વ્યવસ્થાની સ્થળ પર સમીક્ષા કરવામાં આવેલ.
ઉક્ત વિસ્તારમાં આજરોજ, કુલ ૬૦ થી વધુ સફાઇ કર્મચારીઓ, ૧૦ એસ. આઈ, / એસ. એસ. આઈ, આસી. MOH, Dy.MOH, Inceticide Officer વિગેરે દ્વારા કામગીરી પૂર્ણ કરેલ. સઘન સાફસફાઇ, ઘન કચરાનો નિકાલ, જંતુનાશક દવાનો છંટકાવ, ફોગીગ વિગેરે કામગીરી ની સાથે, ઘરે ઘરે આરોગ્ય ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી, ક્લોરિન ટેબલેટ વિતરણ, સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી શકે તે માટે આરોગ્ય લક્ષી સર્વેલન્સ વિગેરે કામગીરી કરવામાં આવેલ છે.