Western Times News

Gujarati News

સુરતમાં 39 મેડીકલ રેપીડ રિસ્પોન્સ ટીમ મારફત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી

સુરત, સુરત શહેર તથા જીલ્લામાં ભારે વરસાદના કારણે ઝોનના નીચાણવાળા વિસ્તારો તથા ખાડી કિનારાના આજુબાજુના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયેલ. પાણીગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ઓસર્યાબાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશની સાથે મેડીકલ ટીમ તથા સર્વેલન્સ વર્કરો મારફત અસરગ્રસ્ત વિસ્તારમાં  સર્વે કરી આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવેલ.

મેયર દક્ષેશ માવાણીએ ઉધના ઝોન વિસ્તારના સંજય નગર આવાસ ખાતે અસરગ્રસ્તોને ભીમ નગર શાળામાં સ્થળાંતર કરવામાં આવેલ હતા. જેઓની સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ અસરગ્રસ્તોને ફૂડ પેકેટ સહિત જરૂરી વ્યવસ્થા બાબતે સૂચના આપી.

તા. ૨૭-૦૬-૨૦૨૫ના રોજ સેન્ટ્રલ ઝોનના કાદરશાની નાળ, મુસીબતપુરા વરાછા ઝોનના શુભમ ઇન્ડસ્ટ્રીઝ હળપતિવાસ , સારોલી સરથાણા ઝોન ના વીટી નગરથી મેઘમલ્હાર ખાડી, વ્રજ ચોકથી ભગવાન નગર કતારગામ ઝોનના પાંચપીર ની દર્ગા, ઉધના ઝોન-એના સંજય નગર, મફત નગર ઉધના ઝોન-બીના અંબિકાનગર સચિન, પુષ્પાનગર

તલંગપુર લિંબાયત ઝોનના ગીતા નગર, શાંતિકુંજ રાંદેર ઝોનના પાલનપુર ગામતેમજ અઠવા ઝોનનાઆઝાદ નગર, આંબેડકર નગર વિગેરે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યાબાદ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.સદર ઝુંબેશમાં આરોગ્ય વિભાગના ૧૧૦ સુપરવાઇઝરોના સઘન મોનિટરિંગ અને સુપરવીઝન હેઠળ ૧૦૪૯ સફાઈ કામદારો ૧૪ JCB, ૪૭ ટ્રક મારફત અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સાફ-સફાઈ હાથ ધરવા માં આવેલ.

જે અંતર્ગત કુલ ૧૪૬ મે. ટન ઘન કચરાનો નિકાલ કરી, ૭૬૧૬ કિ.ગ્રા. જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ. અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ૮૮૫૦ ફૂડ પેકેટ, ૩૧૫૦ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવેલ છે.

૩૯ મેડીકલ રેપીડ રિસ્પોન્સ ટીમ મારફત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવેલ. જે અંતર્ગત ૨૨ ૨સર્વેલન્સ વર્કર દ્વારા ૬૪૦૩૮ વસ્તીનો સર્વે કરી ૩૦૫૬૯ કલોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ તેમજ તાવના ૪૩, સામાન્ય ઝાડાના ૪૮, શરદી-ખાંસીના ૬૦ અને અન્ય ૨૧૪ દર્દી મળી કુલ ૩૬૫લોકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી.

તેમજ સદર વિસ્તારોમાં આરોગ્યલક્ષી શિક્ષણ જેમ કે વ્યકિતગત સ્વચ્છતા, પાણીને ઉકાળીને પીવુ, કલોરીનયુકત પાણી પીવુ વિગેરેની સમજણ આપવામાં આવેલ.

વધુમાં સુરત મહાનગરપાલિકાના વાહક જન્ય રોગ નિયત્રણ વિભાગના ૬૦૩ સર્વેલન્સ વર્કર દ્વારા કુલ ૯૯૫૮૭ ઘરોનો સર્વે કરી ૩૪૭૦૧૯ વસ્તી આવરી લેવામાં આવી છે. જેમાં ૨૮૨ તાવના કેસો મળી આવેલ જેઓના સ્લાઈડ કલેક્શન કરી નિદાન અર્થે મોકલી આપવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.