EDIIએ MSME દિવસ 2025 ઉજવ્યો, સમાવિષ્ટ અને સતત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી

અમદાવાદ, 27 જૂન 2025: 25માં એમએસએમઈ દિવસની ઉજવણીના અવસરે, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદે ભારતના માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝીસની દ્રઢતા અને ઉદ્યમશીલતાની ભાવનાનો ઉત્સવ ઉજવ્યો અને કેમ્પસમાં ‘એમએસએમઈ ટોક’ નું આયોજન કરીને વિકાસ અને રાષ્ટ્રીય પ્રગતિમાં તેમના ફાળાની સરાહના કરી.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતું ‘એમએસએમઈ ટોક’, જેમાં શ્રી આર.ડી. બરહાટ, સંયુક્ત કમિશ્નર, ઉદ્યોગ વિભાગ, ગુજરાત સરકારએ ‘બદલાતા વ્યવસાયિક પરીદૃશ્યમાં એમએસએમઈ માટે સતત વિકાસ પથ’ વિષય પર ભાષણ આપ્યું. આ પ્રસંગે ડૉ. સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઈડીઆઈઆઈ પણ ઉપસ્થિત રહ્યા.
શ્રી બરહાટે સંબોધન કરતા જણાવ્યું કે ભારતની અર્થવ્યવસ્થા માટે એમએસએમઈ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ડિજિટલ પરિવર્તન, વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને પર્યાવરણ સંબંધિત ચિંતાઓ વચ્ચે સતત વિકાસની જરૂરીયાતના મહત્વ પર જોર આપ્યું. તેમણે કહ્યું, “એમએસએમઈ માટે સતત વિકાસ સમાવિષ્ટ, જવાબદારીભર્યું અને નવીનતાભર્યું હોવું જોઈએ. એમએસએમઈએ પર્યાવરણીય અને સામાજિક ધોરણોને અસર કર્યા વિના આર્થિક વિસ્તરણ કરવું જરૂરી છે. અનુકૂલનશીલતા, નવીનતા અને વ્યૂહાત્મક નીતિ આધાર દ્વારા એમએસએમઈ પોતાનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે અને ભારતના વિકાસ એજેન્ડાને આગળ ધપાવી શકે છે.”
ગયા એક વર્ષમાં ઈડીઆઈઆઈએ સમગ્ર દેશમાં 2,200 કરતાં વધુ તાલીમ કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને એક લાખથી વધુ ઉદ્યોગકારો સુધી પહોંચ હાંસલ કરી છે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સમર્થિત ઇએસડીપી હેઠળ, જે હાલના અને સંભવિત ઉદ્યોગસાહસિકો પર ખાસ ભાર મૂકે છે. ઈનોવેશન આધારિત નિવાસી કાર્યક્રમો દ્વારા એમએસએમઈ પ્રમોટર્સને બિઝનેસ એનાલિટિક્સ, રોબોટિક્સ, એગ્રો-પ્રોસેસિંગ અને સરકારની ઈ-માર્કેટપ્લેસ (GeM) સંચાલન જેવા ક્ષેત્રોમાં તાલીમ આપે છે.
તે ઉપરાંત, ઈડીઆઈઆઈએ એમએસએમઈ દિવસના અવસરે મહારાષ્ટ્રમાં મહિલા નેતૃત્વવાળા ઉદ્યોગો માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ શરૂ કર્યો, જે મહારાષ્ટ્ર સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (MSSIDC) દ્વારા સમર્થિત અને રેઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ (RAMP) કાર્યક્રમ હેઠળ હતો.
ઈડીઆઈઆઈ મહારાષ્ટ્ર અને ગોવા જેવા રાજ્યોમાં ઉદ્યમ-રજિસ્ટર્ડ એમએસએમઈ અને સ્વસહાય જૂથો (SHGs)ને ટેકો આપવા માટે નજીકથી કામ કરી રહ્યું છે. આ પહેલ હેઠળ કેન્દ્રિત તાલીમ મોડ્યુલો GeM, મૌલિક સંપત્તિ અધિકાર, નાણાકીય વ્યવસ્થાપન અને સંચાલનને આવરી લેવામાં આવે છે, જે ઉદ્યોગકારોને સતત વિકાસ માટે તૈયાર કરે છે.
ડૉ. સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઈડીઆઈઆઈએ કહ્યું, “એમએસએમઈ માત્ર આર્થિક એકમો નથી, તે ભારતમાં લાખો લોકો માટે ઇનોવેશન, લવચીકતા અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે. ઈડીઆઈઆઈમાં અમારું ફોક્સ આ મહત્વપૂર્ણ કરોડરજ્જુને મજબૂત કરવાનું છે જેથી ઉદ્યોગકારોને સતત વિકાસ માટે યોગ્ય કૌશલ્ય, સાધનો અને માનસિકતા મળી શકે. કૌશલ્ય વિકાસ, માર્ગદર્શન અને માળખાકીય આધાર દ્વારા, અમે એ સુનિશ્ચિત કરવા ઈચ્છીએ છીએ કે દરેક ઉદ્યોગસાહસિકને, તેમની પૃષ્ઠભૂમિ અને સ્થાનને ધ્યાનમાં લીધા વિના, આજના વિકસતા આર્થિક પરિદૃશ્યમાં સફળ થવાની સમાન તક મળે.”
માળખાકીય વિકાસમાં ઈડીઆઈઆઈનું યોગદાન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. SIDBI ક્લસ્ટર ડેવલપમેન્ટ ફંડ હેઠળ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સલાહકાર તરીકે, ઈડીઆઈઆઈએ છેલ્લાં 3 વર્ષમાં 21 રાજ્યોમાં ₹10,000 કરોડની માળખાકીય વિકાસ યોજના માટે મૂલ્યાંકન કરવામાં SIDBI સમર્થન કર્યું છે.
આ પ્રોજેક્ટે એમએસએમઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવ્યું છે અને વ્યાપક રોજગાર સર્જનમાં યોગદાન આપ્યું છે. તેમજ, ઈન્સ્ટિટ્યૂટ ગુજરાતના મુખ્ય ઉદ્યોગ ક્લસ્ટરોમાં કોમન ફેસિલિટી સેન્ટર્સ (CFCs) સ્થાપવા માટે MSE-CDP યોજના અમલમાં મૂકી રહ્યું છે, જે પાયાના સ્તરે તેની અસરને વધુ વધારે છે.
ભારતમાં વિસ્તૃત વ્યાપ સાથે, ઈડીઆઈઆઈ ભારતની ઉદ્યોગશીલ યાત્રાને આગળ ધપાવી રહ્યું છે, જે ક્ષમતા નિર્માણ, નવીનતા અને સમાવિષ્ટ વિકાસ દ્વારા આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરી રહ્યું છે.