Western Times News

Gujarati News

ઈરાનમાં રૂ. ૨.૫ લાખ કરોડનાં રોકાણનો અમેરિકાનો પ્રસ્તાવ

ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક યુટર્ન

સિવિલ ન્યૂક્લીયર પ્રોગ્રામમાં અમેરિકા રોકાણ કરશે, કેટલાંક પ્રતિબંધોમાં ઇરાનને રાહત આપશે

તહેરાન,ઇરાનને તેના સિવિલ એનર્જી પ્રોડકશન ન્યૂક્લીયર પ્રોગ્રામને વિકસિત કરવામાં મદદ કરવા માટે અમેરિકા વિચારી રહ્યું છે. અમેરિકાએ ઇરાનને ૩૦ અબજ ડોલર (લગભગ ૨.૫ લાખ કરોડ રૂપિયા)ના રોકાણનો પ્રસ્તાવ આપ્યો છે. જે અંતર્ગત ઇરાન યુરેનિયમના સંવર્ધન વિના સિવિલ એનર્જી માટે પરમાણુ કાર્યક્રમ શરૂ કરી શકે છે. આ ડીલ અંતર્ગત ઈરાનને કેટલાક પ્રતિબંધોમાંથી છૂટ મળી શકે છે અને ઇરાનને વિદેશી બેંકોમાં જમા ૬ અબજ ડોલર સુધીની રકમ પરત મળી શકે છે, જેના પર હાલ પ્રતિબંધ છે.

સિવિલ એનર્જી પ્રોડક્શ ન્યૂક્લીયર પ્રોગ્રામ એવો પરમાણુ કાર્યક્રમ હોય છે, જેનો ઉપયોગ ફક્ત વિજળી કે ઉર્જા બનાવવા માટે થાય છે, નહીં કે પરમાણુ હથિયાર બનાવવા માટે. એમાં ન્યૂક્લીયર પાવર પ્લાન્ટ બનાવાય છે જે પરમાણુ રિએક્શનનો ઉપયોગ કરીને વીજળી પેદા કરે છે. તેનો સૈન્ય હેતુઓ કે હથિયારો સાથે કોઈ સંબંધ હોતો નથી.આ પગલું અમેરિકા અને ઇરાનની વચ્ચે શાંતિ વાતચીત શરૂ કરવાની કોશિશ હિસ્સો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ૨૦ જૂને વ્હાઇટ હાઉસમાં અમેરિકાના દૂત સ્ટીવ વિટકોફ અને ખાડી દેશોના નેતાઓની વચ્ચે એક સીક્રેટ બેઠક યોજાઈ હતી. એમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી.

અમેરિકાનું કહેવું છે કે એ આ કાર્યક્રમ માટે સીધા પૈસા આપશે નહીં. પરંતુ આશા છે કે ખાડી દેશના બીજા દેશો એમાં રોકાણ કરશે. બીજી તરફ, ઈરાનના વિદેશમંત્રીએ અમેરિકાને લઈને અલગ વાત કરી છે. વિદેશ મંત્રી સઇદ અબ્બાસ અરાઘચીએ દાવો કર્યાે છે કે અમેરિકાની સાથે ફરીથી વાતચીત શરૂ કરાઈ નથી. અરાઘચીએ કહ્યું કે વાતચીત ફરીથી શરૂ કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે. પરંતુ એ વાત પર નિર્ભર કરશે કે તહેરાનના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા કરવામાં આવે છે કે નહીં.તેમણે ઉમેર્યું કે, અમારો નિર્ણય સંપૂર્ણપણે ઈરાનના હિતો પર આધારિત હશે. જો અમારા હિતો માટે વાતચીત થવી જરુરી છે તો અમે તેના પર વિચાર કરીશું. પરંતુ આ સ્તર પર, કોઇ સમજૂતી કે વચન આપવામાં આવ્યું નથી અને કોઈ વાતચીત થઈ નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.