નીરુ બાજવાએ હાનિઆને અનફોલો કરીને દિલજિતનું ટ્રેલર પણ ડિલીટ કર્યું

‘સરદારજી ૩’માં નીરુ બાજવા લીડ રોલમાં હતી
‘સરદારજી ૩’ એક હોરર કોમેડી ફિલ્મ છે, જે અત્યાર સુધીની સૌથી મોંઘી પંજાબી ફિલ્મ મનાય છે
મુંબઈ,દિલજિત દોસાંજની ફિલ્મ ‘સરદારજી ૩’ સાથેના વિવાદો એક પછી એક વધી જ રહ્યા છે. આ ફિલ્મમાં પંજાબી એક્ટ્રેસ નીરુ બાજવા લીડ રોલમાં હતી. પરંતુ હવે તેણે પણ આ ફિલ્મનો વિરોધ દર્શાવ્યો છે. એક તરફ તેની ફિલ્મ વિદોશમાં રિલીઝ થઈ રહી છે, ત્યાં નીરુ બાજવાએ પોતાના સોશિયલ મીડિયા પરથી ફિલ્મનું ટ્રેલર, ગીતો વગેરે બધું જ ડિલીટ કરી દીધું છે. તે આ ફિલ્મથી પોતાને દૂર રાખવા માગતી હોય એવું લાગે છે.
નીરુએ દિલજિત સાથે પહેલાં પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે, તે હજુ પણ દિલજિતને ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરે છે. પરંતુ હવે તે પાકિસ્તાની એક્ટ્રેસ હાનિઆ આમિરને ફોલો કરતી નથી, જ્યારે ફિલ્મનું ટ્રેલર એક મહિના પહેલાં લોંચ થયું ત્યારે તે હાનિઆને ફોલો કરતી હતી. પરંતુ હવે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર ફિલ્મનું ટ્રેલર કે ગીતો કશું જ દેખાતું નથી. તેની છેલ્લી ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’ના ગીત અંગે તેની છેલ્લી પોસ્ટ દેખાય છે. તેણે એક ફૅનની આ ફિલ્મમાં નીરુના ગીત અંગેની એક પોસ્ટ રીશેર પણ કરી હતી.
પાકિસ્તાની એક્ટ્રેસ હાનિઆ આમિરે ‘સરદારજી ૩’માં કામ કર્યું તેના કારણે આ ફિલ્મ વિવાદમાં ફસાઈ છે. જોકે, દિલજિત હજુ પણ હાનિઆની તરફેણ કરી રહ્યો છે. તેથી સોશિયલ મીડિયા પર નીરુના આ પગલાંનાં પણ વખાણ થઈ રહ્યાં છે. બીજી તરફ જ્યારે દિલજિતની ફિલ્મ ભારતમાં રિલીઝ ન થઈ શકી, તો ફિલ્મને નુકસાન થવા અંગે પણ કેટલાંક લોકોએ કહેલું કે દિલજિતને તેનાથી કોઈ ફરક પડતો નથી. એ તો કોન્સર્ટ અને શોમાંથી એ રકમનું વળતર મેળવી લેશે. ‘સરદારજી ૩’ એક હોરર કોમેડી ફિલ્મ છે, જે અત્યાર સુધીની સૌથી મોંઘી પંજાબી ફિલ્મ મનાય છે. જે અમર હુંડાલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તે સરદારજી ળેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. જેમાં દિલજિત અને નીરુ લીડ રોલમાં છે.SS1