વડાપ્રધાન મોદીએ “મન કી બાત માં” AMCના હરિત ઉપક્રમની પ્રશંસા કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) માટે એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. ‘મન કી બાત’ના પ્રતિષ્ઠિત મંચ પરથી દેશને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મ્યુનિસિપલ કોર્પોરેશનના હરિત ઉપક્રમ ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અને સિંદૂર વનની પ્રશંસા કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ તો “પર્યાવરણ માટેનો વધુ એક સુંદર પ્રયાસ ગુજરાતના અમદાવાદ શહેરમાં જોવા મળ્યો છે. અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લક્ષ્ય છે – લાખો વૃક્ષો લગાડવાનું. આ અભિયાનની એક વિશિષ્ટ બાબત છે ‘સિંદૂર વન’. આ વન ‘ઓપરેશન સિંદૂર’ ના વિરોને અર્પિત છે…”
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી એ ઉપરોકત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી શ્ દ્વારા મળેલી આ માન્યતા માત્ર ગૌરવની ક્ષણ નથી – તે અમદાવાદની સ્થિરતા, જીવવિવિધતા અને રાષ્ટ્રપ્રેમી સ્મૃતિ પ્રત્યેના સમર્પણનો શક્તિશાળી સ્વીકાર છે.
અમે આ ઉમદા માન્યતા માટે પ્રધાનમંત્રીનો હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમના શબ્દો દરેક કોર્પોરેટર, એએમસી કર્મચારી, દરેક સ્વયંસેવક અને દરેક નાગરિક માટે પ્રેરણા અને ઉત્સાહનો સ્ત્રોત છે, જેમણે આ મિશનમાં સહભાગીતા આપી છે.કારણ કે, જેમ પ્રધાનમંત્રીશ્રીએ સાચું કહ્યું છે: “જ્યારે આપણે કુદરત બચાવીએ છીએ, ત્યારે આપણે આપણી આવનાર પેઢીઓને સાચવી રહ્યાં છીએ.*
વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સિંદૂર વન’માં વૃક્ષારોપણ કરીને એએમસીના ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનનો આરંભ કર્યો હતો.એએમસીના દુરંદેશી નેતૃત્વ હેઠળ સિંદૂર વન એક જીવંત સ્મૃતિ રૂપ છે.
જગતપુર-ચાંદલોદિયા વોર્ડ ખાતે એક અનોખા *ઓક્સિજન પાર્ક* તરીકે આકાર લઈ રહ્યું છે, જ્યાં ૧૨,૦૦૦થી વધુ વૃક્ષો, જેમાં *૫૫૧ સિંદૂર વૃક્ષો* નો સમાવેશ થાય છે. આ પવિત્ર વન *ઓપરેશન સિંદૂરના શહીદોને શ્રદ્ધાંજલિ* રૂપે સમર્પિત છે, જે બલિદાન, શૂરવીરતા અને રાષ્ટ્રસેવાના ભાવને પ્રતિબિંબિત કરે છે. સિંદૂર વન માત્ર એક હરિત સ્થાન નથી, પણ એક જીવંત સ્મારક છે જ્યાં કુદરત અને રાષ્ટ્રપ્રેમ સાથે ફૂલી રહેલ છે.
મિશન ફોર મિલિયન ટ્રીઝ એ એએમસીનું વિશાળ વૃક્ષારોપણ અભિયાન છે, જેના અંતર્ગત અમદાવાદ શહેરમાં ૪૦ લાખ વૃક્ષો ના રોપણનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.આ મિશન અંતર્ગત વિશેષ પ્રકલ્પ જેમ કે મિયાવાકી જંગલો (વન કવચ),સમુદાયની સહભાગિતા,જાગૃતિ માટે વૃક્ષ રથ,એએમસી સેવા એપ ના ઉપયોગથી વૃક્ષ વિતરણ જે શહેરને એક પર્યાવરણ સંવેદનશીલ શહેરી વિકાસના મોડેલ તરીકે રૂપાંતરિત કરી રહ્યું છે.