Western Times News

Gujarati News

ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં ૬૨ લોકોનાં મોત, સેંકડોને ઈજા

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે આવતા સપ્તાહે યુદ્ધવિરામ થવાની શક્યતા

ખાન યુનિસ પર કરાયેલાં હુમલામાં માતા-પિતા અને ત્રણ બાળકો સહિત પરિવારના પાંચના મોત નિપજ્યાં હતાં

ડેર-અલ-બલાહ,ઈઝરાયેલે ગાઝામાં વિવિધ સ્થળોએ કરેલા હુમલામાં આશરે ૬૨ લોકોના મોત નિપજ્યાં હતાં. ખાન યુનિસ પર કરાયેલાં હુમલામાં માતા-પિતા અને ત્રણ બાળકો સહિત પરિવારના પાંચના મોત નિપજ્યાં હતાં. ગાઝા શહેરમાં આવેલા પેલેસ્ટાઈન સ્ટેડિયમ નજીક કરાયેલાં હુમલામાં ૧૨ લોકોના જ્યારે તેની પાસે આવેલા એપાર્ટમેન્ટમાં ૮ લોકોના મોત નિપજ્યાં હતાં. ગાઝાની શિફા હોસ્પિટલના કર્મચારીઓના જણાવ્યાં અનુસાર, ઈઝરાયેલી સેના દ્વારા સ્ટેડિયમમાં શરણ લઈ રહેલાં લોકો પર કરાયેલાં હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં.

પૂર્વીય ગાઝામાં શનિવારે બપોરે થયેલાં અન્ય એક હુમલામાં ૧૧ લોકોના મોત થયાં હતાં. દરમિયાનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે આવતા સપ્તાહે યુદ્ધવિરામ થવાની શક્યતા છે. તેઓ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે. જોકે હાલમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને જોતા યુદ્ધવિરામ નજીકના ભવિષ્યમાં સંભવ લાગતું નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.