‘ઈન્ડસ્ટ્રીમાં અંદર અને બહારવાળાની વાતો પંચાત જેવી: વિક્રાંત મેસ્સી

મુંબઈ, વિક્રાંત મેસ્સીની ગણતરી ઇડસ્ટ્રીનાં ઘણા ટેલેન્ટેડ કલાકારોમાં થાય છે, તેણે ઘણા યાદગાર પાત્રો કર્યાં છે. હવે તેની શનાયા કપૂર સાથેની ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ આવી રહી છે, ત્યારે એક ઇન્ટરવ્યુમાં વિક્રાંતે ઇન્ડસ્ટ્રીમાં હંમેશા ચર્ચાતા કેટલાંક વિષયોમાંથી અંદરના લોકો અને બહારના લોકો મુદ્દે પોતાના વિચારો જણાવ્યા હતા.
આ બધી વાતોને ફગાવી દેતા વિક્રાંતે કહ્યું હતું કે આ આવી બધી ચર્ચાઓ સોશિયલ મીડિયા પરની પંચાતની વાતો છે.વિક્રાંતે કહ્યું કે મોટા ભાગે ઇન્ડસ્ટ્રીની બહારના લોકો જ આવી ચર્ચાઓને વેગ આપતાં હોય છે. વિક્રાંતે કહ્યું, “આ બધી સોશિયલ મીડિયાની વાતો છે. આવી વાતો એ લોકો જ કરે છે, જે બહાર બેઠાં છે.”વિક્રાંતે ટીવી સિરીયલથી પોતાની કૅરિઅર શરૂ કરી હતી.
ધીરે ધીરે તેણે ફિલ્મની દુનિયામાં પોતાની જગ્યા બનાવી છે. તેણે ‘એ ડેથ ઇન અ ગંજ’, ‘છપાક’, ’૧૨ ફેઇલ’ અને ‘ગેસલાઇટ’ જેવી ફિલ્મ કરી છે. તે કોઈ ફિલ્મી પરિવારમાંથી ન આવતો હોવા છતાં તેણે પોતાના માટે એક સુરક્ષિત સ્થાન બનાવી લીધું છે.
વિક્રાંતે કહ્યું, “જો તમે પણ અમારી ળેટરનિટીનો જ ભાગ હોય તો, અહીં કોઈ એ દૃષ્ટિએ જોતું નથી. મોટા ભાગના, હું કમ સે કમ મારા વિશે વાત કરું તો, મારી વાત તમે માનો તો, હું તમારી દૃષ્ટિએ આઉટસાઇડર છું, તો એવું કશું નથી, આ બધી સોશિયલ મીડિયાની વાતો છે. તો અમે આવી વાતોમાં ધ્યાન આપતા નથી કારણ કે આમાં કોઈ સચ્ચાઈ નથી.”વિક્રાંત અને શનાયા કપૂરની ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાં ૧૧ જુલાઈએ થિએટરમાં રિલીઝ થવાની છે.
મંગળવારે આ ફિલ્મનું ટ્રેલર લોંચ થયું છે, જેમાં વિક્રાંત એક પ્રજ્ઞાચક્ષુ થિએટર આર્ટિસ્ટનો રોલ કરે છે, જે શનાયાના પ્રેમમાં પડે છે, જે પણ એક થિએટર આર્ટિસ્ટ છે, અને તેઓ આંખે પાટા બાંધીને દુનિયાના અનુભવ કરવાનું નક્કી કરે છે.SS1MS