યુએઈએ ગોલ્ડન વિઝાના નિયમ બદલ્યાં, નાગરિકતા મેળવવી થઈ સરળ

નવી દિલ્હી, મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાતએ તેના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યાે છે. તેનાથી ભારતીયો માટે ત્યાં ગોલ્ડન વિઝા મેળવવાનું સરળ બન્યું છે. સંયુક્ત આરબ અમીરાત સરકારે નોમિનેશન પર આધારિત એક નવા પ્રકારનો ગોલ્ડન વિઝા રજૂ કર્યાે છે. તેમાં કેટલીક શરતો હશે જે દુબઈમાં મિલકત અથવા વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની વર્તમાન પ્રક્રિયાથી અલગ હશે.
અત્યાર સુધી, ભારતીયો માટે દુબઈનો ગોલ્ડન વિઝા મેળવવાનો એક રસ્તો મિલકતમાં રોકાણ કરવાનો હતો. તેનું મૂલ્ય ઓછામાં ઓછું રૂ. ૪.૬૬ કરોડ હોવું જોઈતું હતું અથવા તો યુએઈમાં સંચાલિત વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની શરત હતી.
પરંતુ હવે લાભાર્થીઓ અને પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે નવી નોમિનેશન-આધારિત વિઝા નીતિ હેઠળ, ભારતીયો હવે લગભગ રૂ. ૨૩.૩૦ લાખની ફી ચૂકવીને આજીવન યુએઈ ગોલ્ડન વિઝાનો લાભ મેળવી શકશે. તેમણે કહ્યું કે ત્રણ મહિનામાં ૫,૦૦૦ થી વધુ ભારતીયો આ નોમિનેશન-આધારિત વિઝા માટે અરજી કરશે.
આ વિઝા ટેસ્ટના પ્રથમ તબક્કા માટે ભારત અને બાંગ્લાદેશની પસંદગી કરવામાં આવી છે. ભારતમાં નોમિનેશન-આધારિત ગોલ્ડન વિઝાના પ્રારંભિક ફોર્મનું પરીક્ષણ કરવા માટે રેડ ગ્રુપ નામની કન્સલ્ટન્સીની પસંદગી કરવામાં આવી છે. રેડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર કમાલ ઐયુબએ જણાવ્યું હતું કે ભારતીયો માટે યુએઈનો ગોલ્ડન વિઝા મેળવવાની આ એક સુવર્ણ તક છે.
રાએદ કમાલે કહ્યું કે જ્યારે પણ કોઈ અરજદાર આ ગોલ્ડન વિઝા માટે અરજી કરશે, ત્યારે અમે પહેલા તેની પૃષ્ઠભૂમિ તપાસીશું. જેમાં મની લોન્ડરિંગ વિરોધી અને ગુનાહિત રેકોર્ડ તપાસ તેમજ તેના સોશિયલ મીડિયાનો સમાવેશ થશે.
પૃષ્ઠભૂમિ તપાસ એ પણ જાહેર કરશે કે અરજદાર સંસ્કૃતિ, નાણાં, વેપાર, વિજ્ઞાન, સ્ટાર્ટ-અપ્સ, વ્યાવસાયિક સેવાઓ જેવી અન્ય કોઈપણ રીતે યુએઈ બજાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને કેવી રીતે ફાયદો પહોંચાડી શકે છે.
નોમિનેશન શ્રેણી હેઠળ યુએઈ ગોલ્ડન વિઝા મેળવવા માંગતા અરજદારો દુબઈની મુસાફરી કર્યા વિના તેમના વતનથી પ્રી-ક્લિયરન્સ મેળવી શકે છે.યુએઈમાં લાંબા ગાળાના રોકાણની મંજૂરી મળશે.
સંપૂર્ણ પરિવારને સાથે લઈ જવાની પરવાનગી મળશે. તે વ્યવસાય અથવા બીજા કાર્ય કરવામાં મદદરૂપ થશે. કામ કરવાની અને અભ્યાસ કરવાની સ્વતંત્રતા મળશે અને સૌથી મોટો ફાયદો એ કે વારંવાર વિઝા રિન્યુ કરવાની જરૂર નહીં રહે.SS1MS