Western Times News

Gujarati News

બોયકોટ કલ્ચરથી વાણી કપૂર દુઃખી, નફરતનું ઝેર બધે પ્રસરી રહ્યું છે

મુંબઈ, પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સાથેની વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં રિલીઝ માટે તૈયાર હતી અને પ્રમોશન પણ ચાલી રહ્યું હતું. દરમિયાન પાકિસ્તાને પહેલગામમાં આતંકવાદી હુમલો કરાવ્યો અને ‘અબીર ગુલાલ’ પર પ્રતિબંધ મૂકાઈ ગયો. ભારતીય ઓડિયન્સ પણ આ ફિલ્મ જોવા ખાસ ઉત્સુક નથી. ‘અબીર ગુલાલ’ને મળેલો ઝાકારો વાણી કપૂરને હજુ વિસરાતો નથી.

વાણી કપૂરનું માનવું છે કે, બાયકોટ અને કેન્સલ કલ્ચર વકરવાની સાથે નફરતનું ઝેર બધે પ્રસરી રહ્યું છે. ભારતમાં ‘અબીર ગુલાલ’ની રિલીઝ પર સત્તાવાર પ્રતિબંધ મૂકાયો હોવાથી વાણીએ આ મામલે સીધો વિરોધ નોંધાવ્યો ન હતો અને સેન્સરશિપને મર્યાદિત રાખવાની જરૂરિયાત જણાવી હતી.

વાણીએ કહ્યં હતું કે, સેન્સર બોર્ડ દ્વારા એક તરફ સર્ટિફિકેટ અપાય છે અને બીજી બાજુ સેન્સરશિપની કોઈ મર્યાદા નથી.આર્ટિસ્ટ તરીકે નવા ક્ષેત્રોમાં ખેડાણ કરવાનું શક્ય નથી બનતું કારણ કે દર વખતે બંધનો લાદી દેવાય છે.

દેશમાં વધી રહેલું બાયકોટ અને કેન્સલ કલ્ચર પણ વાણીને દુઃખી કરી રહ્યું છે. એકાદ વસ્તુ ખોટી બોલાઈ જાય તો સીધું બાયકોટ અને કેન્સલ કરી દેવાની વાતો થાય છે. આ ખોટું છે અને આ પ્રકારની હરકતોના કારણે પરસ્પર નફરતનું ઝેર બધે પ્રસરી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.