Western Times News

Gujarati News

રેલવેમાં ઇમર્જન્સી ક્વોટાની વિનંતી હવે એક દિવસ પહેલાં કરવી પડશે

નવી દિલ્હી, ટ્રેન ઉપડવાના આઠ કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના તાજેતરના નિર્ણયને ધ્યાનમાં રાખીને રેલ્વે મંત્રાલયે ઇમર્જન્સી ક્વોટા માટેની રિકવેસ્ટ સબમિટ કરવાના સમયમાં ફેરફાર કર્યાે કર્યાે છે.

હવેથી આવા ક્વોટા માટેની રિકવેસ્ટ ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા એક દિવસ પહેલા કરવી પડશે. ટ્રેન ઉપડવાના દિવસે કરાયેલી આવી રિકવેસ્ટ ધ્યાનમાં લેવાશે નહીં.મંત્રાલયે એક પરિપત્ર જારી કરી જણાવ્યું છે કે રાત્રે ૧૨ વાગ્યાથી બપોર ૨ વાગ્યા વચ્ચે ઉપડતી તમામ ટ્રેનો માટે ઇમર્જન્સી ક્વોટા વિનંતી મુસાફરીના આગલા દિવસે ૧૨ વાગ્યા સુધી ઇમર્જન્સી ક્વોટા સેલ પર પહોંચવી જોઈએ.

બપોર ૨.૦૧ કલાકથી રાત્રે ૧૧.૫૯ કલાકની વચ્ચે ઉપડતી બાકીની તમામ ટ્રેનો માટે ઇમર્જન્સી ક્વોટા વિનંતી મુસાફરીના આગલા દિવસે બપોરે ૪ વાગ્યા સુધી ઈક્યુ સેલ પર પહોંચવી જોઈએ.મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાનના દિવસે જ પ્રાપ્ત થયેલી આવી રિકવેસ્ટ પર ધ્યાન આપવામાં આવશે નહીં.

આ ઉપરાંત રવિવાર અથવા જાહેર રજાઓના કિસ્સામા પણ પરિપત્રમાં ઇમર્જન્સી ક્વાટાના સમયનો ઉલ્લેખ કરાયો છે. મંત્રાલયે જણાવ્યું છે કે રજાના દિવસે દોડતી ટ્રેનો માટે ક્વોટા વિનંતીઓ કાર્યકારી દિવસોની જેમ જ સ્વીકારવામાં આવશે.

પરિપત્રમાં જણાવાયું છે કે રેલ્વે બોર્ડના રિઝર્વેશન સેલને વીઆઈપી , રેલ્વે અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય વિભાગો તરફથી મોટી સંખ્યામાં વિનંતીઓ મળે છે અને ક્વોટાને સામાન્ય સમજદારીપૂર્વક ફાળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે. ચાર્ટ તૈયાર કરવામાં વિલંબ ના થાય તે માટે રેલવે મંત્રાલયે અધિકારીઓને આ ટાઈમિંગનું પાલન કરવા વિનંતી કરી કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.