થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે એક દાયકામાં થયેલી સૌથી લોહિયાળ સરહદી લડાઈ

અથડામણમાં ૧૫ લોકો માર્યા ગયા છે, જેમાં ૧૪ નાગરિકો અને એક સૈનિકનો સમાવેશ થાય છે, જ્યારે ૪૬ લોકો ઘાયલ થયા છે.
નવી દિલ્હી, ગુરુવારે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદને લઈને શરૂ થયેલો લશ્કરી સંઘર્ષ ઘાતક બની રહ્યો છે. થાઇલેન્ડે શુક્રવારે જણાવ્યું હતું કે થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે એક દાયકામાં થયેલી સૌથી લોહિયાળ સરહદી લડાઈમાં ૧૦૦,૦૦૦ થી વધુ લોકો સરહદી વિસ્તારમાંથી ભાગી ગયા છે.
બીજી તરફ, મૃત્યુઆંક વધ્યો છે અને આંતરરાષ્ટ્રીય શક્તિઓએ બંને દેશોને દુશ્મનાવટ બંધ કરવા વિનંતી કરી છે. થાઈ સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અથડામણમાં ૧૫ લોકો માર્યા ગયા છે, જેમાં ૧૪ નાગરિકો અને એક સૈનિકનો સમાવેશ થાય છે, જ્યારે ૪૬ લોકો ઘાયલ થયા છે. Cambodia attacked Gas station and Military base in Thailand
થાઇલેન્ડના આરોગ્ય પ્રધાન સોમસાકે કંબોડિયા પર નાગરિકો અને હોસ્પિટલ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કડક સ્વરમાં કહ્યું, અમે કંબોડિયન સરકારને આ તાત્કાલિક બંધ કરવા અને શાંતિના માર્ગ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ. થાઇલેન્ડે જણાવ્યું હતું કે થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે એક દાયકામાં થયેલી સૌથી લોહિયાળ સરહદી લડાઈમાં ૧૦૦,૦૦૦ થી વધુ લોકો સરહદી વિસ્તારમાંથી ભાગી ગયા છે.
સમાચાર એજન્સીએ રાજદ્વારી સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે કંબોડિયન વડા પ્રધાન હુન માનેટની વિનંતી પર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ શુક્રવારે બંને દેશો વચ્ચેની સરહદ પર થયેલી અથડામણો અંગે ચર્ચા કરવા માટે એક કટોકટી બેઠક યોજશે. તે જ સમયે, અમેરિકાએ શકય તેટલી વહેલી તકે સંઘર્ષનો અંત લાવવાની અપીલ કરી છે.
થાઇલેન્ડના ગળહ મંત્રાલયે જણાવ્યું હતું કે ચાર સરહદી પ્રાંતોના ૧૦૦,૦૦૦ થી વધુ લોકોને લગભગ ૩૦૦ અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે દેશના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી કે મળત્યુઆંક ૧૪ – ૧૩ નાગરિકો અને એક સૈનિક સુધી પહોંચી ગયો છે. સરહદથી ૨૦ કિલોમીટર દૂર કંબોડિયન શહેર સમરોંગમાં, AFP પત્રકારોએ શુક્રવારે સવારે દૂરથી ગોળીબારનો અવાજ સાંભળ્યો હોવાનો અહેવાલ આપ્યો.
હુમલો શરૂ થતાં જ, કેટલાક પરિવારો તેમના બાળકો અને સામાન વાહનોમાં ભરીને ભાગી ગયા. હું સરહદની ખૂબ નજીક રહું છું. અમને ડર છે કારણ કે તેઓએ સવારે ૬:૦૦ વાગ્યે ફરીથી ગોળીબાર શરૂ કર્યો, ૪૧ વર્ષીય પ્રોફેસર બાકે સમાચાર એજન્સી ખ્જ્ભ્ ને જણાવ્યું. આ હુમલામાં, થાઇલેન્ડ F-૧૬ ફાઇટર પ્લેનથી કંબોડિયાને નિશાન બનાવી રહ્યું છે.
અહેવાલો અનુસાર, F-૧૬ હુમલામાં કંબોડિયાના લશ્કરી થાણાઓ નાશ પામ્યા છે. કંબોડિયાના જણાવ્યા અનુસાર, પ્રેહ વિહાર મંદિર પાસેના રસ્તા પર બે બોમ્બ પડ્યા છે. દરમિયાન, શુક્રવારે સવારે (૨૫ જુલાઈ) બંને દેશોએ એકબીજાના ઠેકાણાઓ પર હુમલો કર્યો. થાઈ સૈન્યએ જણાવ્યું હતું કે શુક્રવારે વહેલી સવારે બીજા દિવસે પણ થાઈ અને કંબોડિયન સૈનિકો વચ્ચે સરહદી અથડામણ ચાલુ રહી હતી.
કંબોડિયાએ તોપખાના અને રોકેટ સહિતના ભારે શષાોનો ઉપયોગ કર્યો. કંબોડિયન દળોએ ભારે શસ્ત્રો, ફિલ્ડ આર્ટિલરી અને BM-૨૧ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરીને સતત બોમ્બમારો કર્યો, થાઈ સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું. થાઈ સૈન્યએ વ્યૂહાત્મક પરિસ્થિતિ અનુસાર યોગ્ય સહાયક ગોળીબાર સાથે જવાબ આપ્યો. કંબોડિયાના અખબાર ખ્મેર ટાઈમ્સ અનુસાર, સીએમ રીપ રાજ્યમાં એક પેગોડા પર થાઈ વાયુસેનાના ફાઇટર જેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
આ પછી બૌદ્ધ સાધુઓના એક જૂથને ત્યાંથી ભાગવું પડ્યું. તમને જણાવી દઈએ કે બૌદ્ધ સમુદાયના ધાર્મિક સ્થળને પેગોડા કહેવામાં આવે છે. આ ઘટના ૨૪ જુલાઈની સવારે બની હતી જ્યારે થાઈ ફાઇટર જેટ્સે પ્રસાત તા મોઆન સેન્ચે પેગોડા પર ત્રણ બોમ્બ ફેંકયા હોવાના અહેવાલ છે. થાઇલેન્ડના હુમલાને કારણે આ પવિત્ર સ્થળ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ હુમલાથી સરહદી સમુદાયોમાં ભય વધી ગયો છે અને લોકો આ વિસ્તારમાંથી ભાગી રહ્યા છે.
સાધુઓ અને ગ્રામજનો, તેમના પરંપરાગત વષાો પહેરીને અને ફક્ત મૂળભૂત ચીજવસ્તુઓ લઈને, આખી રાત આશ્રયની શોધમાં પ્રવાસ કરતા રહ્યા. ગુરુવારે વહેલી સવારે ઘણા લોકો સીએમ રીપ પહોંચતા જોવા મળ્યા. તે ભયથી ધ્રૂજતો હતો અને થાકેલો દેખાતો હતો. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે શરૂ થયેલી આ લડાઈ સદીઓ જૂના મંદિરો અને બૌદ્ધ મઠોને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. સાંસ્કળતિક વારસો જોખમમાં છે,
ખાસ કરીને તા મુએન થોમ અને પ્રેહ વિહાર મંદિરોની આસપાસ. આ સંઘર્ષમાં બંને દેશોની સેનાઓએ BM-૨૧ રોકેટ લોન્ચર, તોપખાના અને થાઈ F-૧૬ જેટ જેવા ભારે શષાોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પ્રેહ વિહાર મંદિરને વ્યાપક નુકસાન થયું હતું. Aમેર યુગના તા મુએન થોમ મંદિરની આસપાસના ઐતિહાસિક બાંધકામો પણ ગોળીબાર અને બોમ્બ ધડાકાના જોખમમાં છે. આ પ્રાચીન મંદિરો બંને દેશોની સાંસ્કળતિક અને ધાર્મિક ઓળખનું પ્રતીક છે.
આંતરરાષ્ટ્રીય સમુદાયે મંદિરોના રક્ષણ માટે તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડે આ યુદ્ધમાં કંબોડિયા પર ભારે મિસાઈલોથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા કાર્યકારી થાઈ વડા પ્રધાન ફુમથમ વેચાયચાઈએ જણાવ્યું હતું કે કંબોડિયન પક્ષે અથડામણમાં ભારે શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.
અમે સમસ્યાના ઉકેલ માટે શાંતિપૂર્ણ માધ્યમો અને વાતચીત માટે પ્રતિબદ્ધ છીએ. જોકે, આપણે પોતાનો બચાવ કરવો પડશે અને આપણા દેશની સાર્વભૌમત્વનું રક્ષણ કરવું પડશે, ફુમથમે કહ્યું. થાઇલેન્ડના ગૃહ મંત્રાલયે હુમલાથી પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે.
ફુમથમે જણાવ્યું હતું કે થાઈ શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અસરગ્રસ્ત સરહદી વિસ્તારોમાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. થાઈલેન્ડના કાર્યકારી વડા પ્રધાને જણાવ્યું હતું કે થાઈલેન્ડના જાહેર આરોગ્ય મંત્રાલયે સરહદ નજીકની જિલ્લા હોસ્પિટલોને ફિલ્ડ હોસ્પિટલોમાં રૂપાંતરિત કરી છે અને દર્દીઓને ફ્રન્ટલાઈન પાછળના સુરક્ષિત વિસ્તારોમાં ખસેડ્યા છે.