Western Times News

Gujarati News

ભારતીયોને થાઈલેન્ડનો પ્રવાસ નહીં કરવા સૂચના જારી કરાઈ

બેંગકોક, થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે ફાટી નીકળેલી લડાઈને પગલે ભારતે તેના નાગરિકોને થાઈલેન્ડનો પ્રવાસ નહીં કરવાની સૂચના આપી છે. બેંગકોક સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને થાઈલેન્ડનો પ્રવાસ કરતાં પહેલાં સત્તાવાળાઓ દ્વારા સમયાંતરે જારી કરાનારી સૂચનાઓને ધ્યાનમાં રાખવા જણાવ્યું છે.

ભારતીય એમ્બેસી દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ પર જારી કરેલી સૂચનામાં જણાવ્યાં અનુસાર, થાઈલેન્ડ-કમ્બોડિયા સરહદ પર હાલની સંઘર્ષપૂર્ણ સ્થિતિને પગલે, થાઈલેન્ડની મુલાકાત લેવા ઈચ્છતા તમામ ભારતીય પ્રવાસીઓને થાઈલેન્ડના સત્તાવાર સૂત્રો દ્વારા જારી કરાતી સૂચનાઓ ધ્યાનમાં લેવા જણાવવામાં આવે છે.

થાઈલેન્ડના પ્રવાસન વિભાગ દ્વારા કેટલાંક પ્રાંતોનો પ્રવાસ નહીં ખેડવા આપેલી સૂચનાનો પણ ભારતીય દૂતાવાસે ઉલ્લેખ કર્યાે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય પ્રવાસીઓ માટે થાઈલેન્ડ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. ૨૦૨૪માં આશરે ૨૧ લાખ જેટલાં ભારતીયોએ થાઈલેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.