ઇસરો-નાસાએ સંયુક્ત રીતે વિકસાવેલો નિસાર સેટેલાઇટ ૩૦મીએ લોન્ચ થશે

ચેન્નાઈ, વિશ્વના વિવિધ ભાગોમાં સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. વૈશ્વિક વ્યૂહાત્મક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક નાના-મોટા દેશ પોતાની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે.
આ દરમિયાન ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો અને અમેરિકાની નાસાએ સંયુક્ત રીતે નિસાર ઉપગ્રહ સિન્થેટિક એપર્ચર રડાર) વિકસાવ્યો છે, જેને ૩૦ જુલાઈ ૨૦૨૫ના રોજ લોન્ચ કરવામાં આવશે.
ઇસરોના અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ ડૉ. વી. નારાયણનના જણાવ્યા અનુસાર આ ઉપગ્રહને ભારતીય નિર્મિત જીએસએલવી-એફ૧૬ રોકેટ દ્વારા ૭૪૦ કિમીની ઊંચાઈએ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે અને તે અત્યાધુનિક રડાર ઇમેજિંગ ટેકનોલોજીથી સજ્જ છે.
આ સેટેલાઇટ ખરાબ હવામાન, વાદળો અને વરસાદ છતાં દિવસ અને રાત પૃથ્વીની સ્પષ્ટ તસવીરો લઈ શકશે. તેનો ઉપયોગ ભૂસ્ખલન, કુદરતી આફતો, અને આબોહવા પરિવર્તન પર નજર રાખવા માટે કરવામાં આવશે.
ઈસરોના ચેરમેન ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે આ ઉપગ્રહ માત્ર ભારત અને અમેરિકા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી થશે. માનવ મિશનની તૈયારીઓ વિશે વાત કરતા નારાયણને કહ્યું કે આ વર્ષે ડિસેમ્બરમાં એક માનવરહિત મિશન લોન્ચ કરાશે.SS1MS