Western Times News

Gujarati News

વંદે ભારત ટ્રેનને નવસારીમાં ટૂંક સમયમાં સ્ટોપેજ આપવાની રેલવે મંત્રીએ ખાતરી આપી

Ahmedabad, સુરત, નવસારી, વાપી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના શહેરો અને જિલ્લાઓમાંથી દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. પરપ્રાંતિયોની મોટી વસ્તી અને તહેવારો તેમજ ખાસ પ્રસંગોએ વતન જતા મુસાફરોની વિશાળ સંખ્યાને કારણે ટ્રેન સેવાઓનું મહત્વ ઘણું વધી જાય છે.

આવા સંજોગોમાં, મુંબઈ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને નવસારી સ્ટેશન પર સ્ટોપેજ મળવાનો નિર્ણય નવસારી અને તેની આસપાસના વિસ્તારોના મુસાફરો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

તાજેતરમાં જ વંદે ભારત ટ્રેનને વલસાડ સ્ટેશન પર સ્ટોપેજ મળ્યા બાદ, હવે રેલવે મંત્રીએ નવસારીમાં પણ ટૂંક સમયમાં સ્ટોપેજ આપવાની ખાતરી આપી છે. આનાથી દક્ષિણ ગુજરાતના મુસાફરોને મોટી રાહત મળશે.

આ ઉપરાંત, સુરત-ભુસાવળ વંદે ભારત ટ્રેન શરૂ કરવા અને સુરતથી નાસિક જવા માટે નંદુરબાર રૂટ પર નડાણા-ધુલિયા થઈને નાસિક માટે ટ્રેન શરૂ કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. વલસાડ બાદ હવે નવસારીને આ નવું સ્ટોપેજ મળવાથી દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને ચોક્કસપણે મોટો ફાયદો થશે. આ નિર્ણયથી મુસાફરોનો સમય બચશે અને તેમની મુસાફરી વધુ સુવિધાજનક બનશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.