યુક્રેનના આર્મી ટ્રેનિંગ કેમ્પ પર હુમલો ૨૦૦ સૈનિકો માર્યાનો રશિયાનો દાવો

નવી દિલ્હી, રશિયા-યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષથી વધુ સમય પછી પણ જમીન પર પરિસ્થિતિ અત્યંત તંગ છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના ચેર્નિહિવ ક્ષેત્રમાં એક લશ્કરી તાલીમ કેન્દ્ર પર મિસાઇલ હુમલો કર્યાે હતો, જેમાં ત્રણ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા અને ૧૮ અન્ય ઘાયલ થયા. જોકે, રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યાે હતો કે આ હુમલામાં લગભગ ૨૦૦ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે.
રશિયન મંત્રાલયના જણાવ્યા અનુસાર યુક્રેનના ૧૬૯મા તાલીમ કેન્દ્રને બે મિસાઇલો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. યુક્રેનિયન વાયુસેનાએ આપેલી માહિતી મુજબ રશિયાએ મંગળવારે રાત્રે ૭૮ ડ્રોન હુમલા કર્યા હતા, જેમાંથી કેટલાક નવી ટેકનોલોજીવાળા જેટ સંચાલિત ડ્રોન હતા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા ૫ નાગરિકો ઘાયલ થયા હતા.
દરમિયાનમાં યુક્રેનના કેટલાક નેતાઓ સાથે યુએસ અને યુકેના અધિકારીઓની ગુપ્ત બેઠક થઈ છે. આ બેઠકમાં ઝેલેન્સ્કીને રાષ્ટ્રપ્રમુખ પદ પરથી દૂર કરવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી. કેટલાંક દાવા મુજબ, યુએસ અને યુકે ઇચ્છે છે કે ઝેલેન્સ્કીના સ્થાને ભૂતપૂર્વ સેના વડા વેલેરી ઝાલુઝિની કમાન સંભાળે.SS1MS