PM મોદીએ તમામ ભારતીયને દેશના હિતમાં ‘સ્વદેશી’ વસ્તુઓ જ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી

-
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતે જણાવ્યું કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા જઈ રહ્યું છે.
- તેમણે કાશીમાં આંદાજે જવાબ આપતાં કહ્યું કે ભારત પોતાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય કરશે અને વૈશ્વિક અસ્થિરતાનું ધ્યાન રાખશે.
-
વડા પ્રધાન મોદીએ કહ્યું કે હવે દરેક નાગરિક, વેપારી અને ગ્રાહક ફક્ત ભારતીય કૌશલ્યથી બનેલું અને ભારતીય પરસેવાવાળું માલ ખરીદે જેથી સ્વદેશી અભિયાન સંગઠિત બની શકે.
વારાણસી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારતની અર્થવ્યવસ્થાને મળત અર્થવ્યવસ્થા ગણાવી હતી. તેમના કટાક્ષના જવાબમાં, વડા પ્રધાન મોદીએ વારાણસીથી એક મજબૂત સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે.
વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ કરાવ્યો હતો અને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે દરેક ભારતીયે દરેક ખરીદીમાં દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ.કાશીની ભૂમિ પરથી, પીએમ મોદીએ ટેરિફના મુદ્દા પર ટ્રમ્પને આડકતરી રીતે જવાબ આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે અમે એ કરીશું જે ભારતના હિતમાં હશે.
કાશીમાં લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે વિશ્વ અર્થતંત્ર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ભારતે પણ પોતાના આર્થિક હિતો અંગે સાવધ રહેવું પડશે. તેમણે કહ્યું કે વૈશ્વિક અસ્થિરતાનું વાતાવરણ છે. બધા દેશો પોતાના હિતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે અને તેથી જ ભારતે પોતાના આર્થિક હિતો અંગે સાવધ રહેવું પડશે.
વડા પ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે – હવે ભારત પણ દરેક વસ્તુનું પરીક્ષણ કરવા માટે ફક્ત એક જ સ્કેલનો ઉપયોગ કરશે – એટલે કે, ભારતીય પરસેવાથી બનેલી વસ્તુઓ. તેમણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે જ્યારે દેશના દરેક નાગરિક, દરેક દુકાનદાર અને દરેક ગ્રાહકે આ મંત્ર અપનાવવો જોઈએ કે આપણે ફક્ત તે જ ખરીદીશું જે ભારતમાં બનેલું છે, જે ભારતીય હાથ દ્વારા બનાવેલું છે અને જેમાં આપણા દેશનો પરસેવો છે.
વૈશ્વિક અસ્થિરતાના યુગમાં, ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની જવાબદારી ફક્ત સરકારની જ નહીં પરંતુ દરેક ભારતીયની છે. વડા પ્રધાને કહ્યું કે આજે વિશ્વ અર્થતંત્ર ઘણી આશંકાઓમાંથી પસાર થઈ રહ્યું છે. અસ્થિરતાનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં વિશ્વના દેશો પોતપોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ભારત પણ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. તેથી, ભારતે પણ તેના આર્થિક હિતો પ્રત્યે સતર્ક રહેવું પડશે. ભારતે પણ તેના ખેડૂતો, નાના ઉદ્યોગો, યુવાનો અને રોજગાર જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી પડશે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતે હવે સતર્ક રહેવું પડશે. ખરીદવા માટે ફક્ત એક જ સ્કેલ હશે – જેમાં ભારતીય નાગરિકનો પરસેવો વહી ગયો હોય.
આપણે ફક્ત તે જ વસ્તુઓ ખરીદીશું જે ભારતમાં બનેલી હોય. ભારતીય કૌશલ્યથી બનેલી હોય, ભારતીય હાથે બનેલી હોય. આ આપણા માટે વાસ્તવિક સ્વદેશી છે. વડાપ્રધાન મોદીએ આ સંકલ્પને ફક્ત સરકાર કે રાજકીય પક્ષો પૂરતો મર્યાદિત રાખ્યો નહીં પરંતુ તેને દરેક નાગરિકની જવાબદારી ગણાવી. તેમણે કહ્યું કે, સરકાર આ દિશામાં દરેક પ્રયાસ કરી રહી છે.
પરંતુ દેશના નાગરિક તરીકે, આપણી કેટલીક જવાબદારીઓ છે. ફક્ત મોદી જ નહીં, ભારતના દરેક વ્યક્તિએ દરેક ક્ષણે આ કહેતા રહેવું જોઈએ – બીજાને કહેતા રહેવું જોઈએ. જે લોકો દેશનું ભલું ઇચ્છે છે, જે દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માંગે છે, તેમણે પોતાનો ખચકાટ છોડીને દેશવાસીઓમાં દેશના હિતમાં દરેક ક્ષણે એક ભાવના જાગળત કરવી પડશે – એ જ સંકલ્પ છે, આપણે સ્વદેશી અપનાવવી જોઈએ.
મોદીએ સ્પષ્ટ કર્યું કે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને હવે વ્યવહારિક જીવનનો ભાગ બનાવવો પડશે, ફક્ત એક સૂત્ર નહીં. વડાપ્રધાનએ દેશના વેપારીઓ અને ઉદ્યોગોને ખાસ વિનંતી કરી અને કહ્યું, હવે સમય આવી ગયો છે કે ફક્ત અને ફક્ત સ્વદેશી ઉત્પાદનો વેચવા જોઈએ. તેમણે કહ્યું, હું વ્યાપાર જગત સાથે સંકળાયેલા ભાઈઓને ચેતવણી આપું છું – હવે ફક્ત સ્વદેશી માલ આપણી દુકાનોમાં વેચવો જોઈએ.
આ જ દેશની સાચી સેવા હશે. જ્યારે દરેક ઘરમાં નવો માલ આવશે, ત્યારે તે સ્વદેશી હોવો જોઈએ, આ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક વેપાર દબાણ, રશિયા-યુક્રેન યુદ્ધ, ચીનથી થતી આયાત પર ચર્ચા અને અમેરિકાની ટેરિફ નીતિ જેવા મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય મંચો પર ચર્ચાના કેન્દ્રમાં છે.