Western Times News

Gujarati News

સંજય કપૂરનું મૃત્યુ મધમાખીના કરડવાથી નહી, કુદરતી જ થયું હતું

મુંબઈ, ઉદ્યોગપતિ સંજય કપૂર, જેનું ગયા મહિને લંડનમાં પોલો રમતી વખતે મૃત્યુ થયું હતું. ત્યારથી, તેમના મૃત્યુના કારણ વિશે ચર્ચા થઈ રહી છે. પરંતુ સંજય કપૂરનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું.

બ્રિટિશ તબીબી અધિકારીઓએ રવિવારે તેમની પત્ની પ્રિયા સચદેવ કપૂરને લખેલા પત્રમાં આ માહિતી આપી હતી. આ ઘટના પછી, સાસુ અને પુત્રવધૂ વચ્ચે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના સોના ગ્›પના નિયંત્રણને લઈને વિવાદ શરૂ થયો છે.

સરે કોરોનર ઓફિસે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે સંજય કપૂરનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. તેમના મૃત્યુનું કારણ ડાબા વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી અને ઇસ્કેમિક હૃદય રોગ હોવાનું કહેવાય છે.એલવીએચ એ એક એવી સ્થિતિ છે જેમાં હૃદયના ડાબા વેન્ટ્રિક્યુલર સ્નાયુ દિવાલ જાડી થઈ જાય છે, જેના કારણે લોહીને અસરકારક રીતે પંપ કરવામાં મુશ્કેલી પડે છે.

આ સ્થિતિ ઘણીવાર ત્યારે થાય છે જ્યારે હૃદયને સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડે છે અથવા હાઈ બ્લડ પ્રેશરને કારણે થાય છે. બીજી બાજુ, ઇસ્કેમિક હૃદય રોગમાં, હૃદયના સ્નાયુઓને પૂરતું લોહી અને ઓક્સિજન મળતું નથી, જે સામાન્ય રીતે ધમનીઓ સાંકડી થવાને કારણે થાય છે.

સૌથી સામાન્ય કારણ એથરોસ્ક્લેરોસિસ છે, જેમાં ચરબી, કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થાે ધમનીઓની દિવાલો પર એકઠા થાય છે.પ્રિયા કપૂરના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સાબિત કરે છે કે કોઈ ‘ફાઉલ પ્લે’ નહોતું. તેમણે એમ પણ કહ્યું કે આ રિપોર્ટ થોડા દિવસો પહેલા સંજયની માતા રાની કપૂરને આપવામાં આવ્યો હતો.

આમ છતાં, રાની કપૂરનો દાવો કે સંજયની ‘આંતરરાષ્ટ્રીય ષડયંત્રના ભાગ રૂપે હત્યા’ કરવામાં આવી છે તે આઘાતજનક છે. ગયા અઠવાડિયે, રાની કપૂરે સરે પોલીસને એક પત્ર લખીને કહ્યું હતું કે તેમની પાસે “વિશ્વસનીય અને ચિંતાજનક પુરાવા” છે જે સૂચવે છે કે સંજયનું મૃત્યુ આકસ્મિક કે કુદરતી નહોતું, પરંતુ તેમાં ‘દુર્ભાવનાપૂર્ણ કૃત્ય’ સામેલ હોઈ શકે છે.તેણીએ “બનાવટી, શંકાસ્પદ મિલકત ટ્રાન્સફર અને કાનૂની દસ્તાવેજો” તરફ નિર્દેશ કરતા દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યાે.

ઉપરાંત, તેણીએ પ્રિયા કપૂર પર નાણાકીય લાભ માટે કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. રાની કપૂરે લખ્યું, “તેમનું મૃત્યુ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ હોઈ શકે છે, જેમાં યુકે, ભારત અને કદાચ યુએસના લોકો અને સંસ્થાઓ સામેલ છે.

આ પત્ર આ કૌટુંબિક વિવાદમાં નવીનતમ વળાંક છે, જે ત્યારે શરૂ થયો જ્યારે રાની કપૂરે સોના કોમસ્ટારના બોર્ડને વાર્ષિક સામાન્ય સભા મુલતવી રાખવાની માંગણી કરતો ઈ-મેલ મોકલ્યો. તેણીએ પોતાને સોના ગ્›પની “મુખ્ય શેરધારક” તરીકે વર્ણવી, જેમાં સોના કોમસ્ટાર અને સોના બીએલ ડબ્લ્યુ પ્રિસિઝન ફો‹જગ્સ લિમિટેડનો સમાવેશ થાય છે.

તેણીએ દાવો કર્યાે હતો કે તેણીને તેના પુત્રના મૃત્યુના શોકમાં ચોક્કસ દસ્તાવેજો પર સહી કરવા માટે “બળજબરી” કરવામાં આવી હતી. તેમણે પ્રિયા સચદેવ કપૂરની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે પરિવાર વતી બોલવાનો તેમનો દાવો “મારા દબાણ હેઠળ સહી કરાયેલા દસ્તાવેજો” પર આધારિત હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.